________________
૨૬૦
વ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૭ | ગાથા-૪
ગાથાર્થ :
તે ગુરુના ઉત્તમ ઉધમથી પૂર્વમાં વર્ણન કર્યું તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતાર્થગુણ વધ્યો. તેમના હિતશિક્ષાતણા અનુસારથી જ્ઞાનયોગ એ સાધ્યો ગ્રંથકારશ્રીએ પ્રાપ્ત કર્યો. II૧૭/૪મા. ટબો:
તે-જે શ્રી ગુરુ, તેહનો ઉત્તમ ઉદ્યમ-જે ભલો ઉદ્યમ, તેણે કરીનેં ગીતાર્થ ગુણ વાળો –
गीयं जानन्ति, इति गीतार्थाः, गीतं शास्त्राभ्यासलक्षणम्
તેહની જે હિતશિક્ષા, સ્નેહને અનુસારે, તેહની આજ્ઞા માફકપણું, તિર્ણ કરી એ જ્ઞાનથગ દ્રવ્યાનુયોગ-એ શાસ્ત્રાભ્યાસ, સાળો-સંપૂર્ણરૂપે થર્યો. ૧૭/૪ બાર્થ:
તે, જે શ્રી ગુરુ પૂર્વમાં વર્ણન કર્યું તે જે શ્રી ગુરુ, તેમનો ઉત્તમ ઉદ્યમ=જે ભલો ઉદ્યમ, તેણે કરીને ગીતાર્થ ગુણ વાધ્યો=ગ્રંથકારશ્રીમાં ગીતાર્થગુણ પ્રાપ્ત થયો.
“ગીતાર્થ શબ્દનું લક્ષણ સ્પષ્ટ કરે છે –
જીવંનાનિ, તિ તા=ગીતને જાણે તે ગીતાર્થો છે. જીત્ત શાસ્ત્રાભ્યાસનક્ષi=શાસ્ત્રાભ્યાસરૂપ ગીતને જાણે છે).
તેમની જે હિતશિક્ષા તે ઉત્તમ ગુરુની હિતશિક્ષા, તેમને અનુસાર અર્થાત્ તેમની આજ્ઞામાફકપણું, તેણે કરી તેમની આજ્ઞાનું અનુસરણ કરીને, એ જ્ઞાનયોગને દ્રવ્યાનુયોગ, એ સ્વરૂપ આ શાસ્ત્રાભ્યાસ સાધ્યો–સંપૂર્ણરૂપે થયો-ગ્રંથકારશ્રી વડે સંપૂર્ણ કરાયો. ૧૭/૪ના ભાવાર્થ -
ગાથા-૩માં બતાવેલ શ્રી વિજયસિંહસૂરિ ગુરુ, તેમના અત્યંત યત્નથી ગ્રંથકારશ્રીનો ગીતાર્થગુણ વધ્યો; કેમ કે ભગવાનના વચનનો બોધ કરાવ્યા પછી ગ્રંથકારશ્રીને કાશીમાં ભણાવીને તેમને એ રીતે નિપુણ કર્યા કે જેથી ભગવાનના શાસનના સૂક્ષ્મ પદાર્થોનો ગ્રંથકારશ્રીને બોધ થયો. તેથી તેમનો ગીતાર્થ ગુણ વધ્યો.
વળી, તે ગુરુની હિતશિક્ષાને અનુસારે જ ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગરૂપ આ શાસ્ત્રગ્રંથ લખ્યો છે; કેમ કે ગ્રંથકારશ્રીના સૂક્ષ્મબોધને જોઈને તે ગુરુએ તેમને પ્રેરણા કરી કે તમારો બોધ ગ્રંથરૂપે કરો કે જેથી તે બોધ સ્થિર થાય અને અનેક જીવોના ઉપકારનું કારણ બને. આ પ્રકારની પ્રેરણાથી પ્રસ્તુત ગ્રંથ ગ્રંથકારશ્રી દ્વારા પૂર્ણ લખાયો છે. II૧૭/૪