________________
દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૩ | ગાથા-૪
૧૭.
આ કથન આઠમા સ્વભાવ સાથે સંકળાયેલું છે તે બતાવવા માટે ‘૮' લખેલ છે.
અહીં પ્રશ્ન થાય કે, સારોપ અને સાધ્યવસાન જેમ એકસ્વભાવ અને અભેદસ્વભાવ માટે ઉપયોગી છે તેમ ભગવાનની ભક્તિ કરવા માટે પણ ઉપયોગી છે. તે સ્થાનમાં સારોપ અને સાધ્યવસાનનો ભેદસ્વભાવભેદનો સાધક નથી તે બતાવવા અર્થે કહે છે –
પ્રોનનવત્યો તુ તે=વળી, પ્રયોજનવાળી એવી તે બે=ભગવાનની સાથે અભેદબુદ્ધિ કરીને નિર્જરાના પ્રયોજનવાળી એવી સારોપ અને સાધ્યવસાનરૂપ લક્ષણા, છાનિમિત્તત્ત્વન= થઇચ્છાનિમિત્તકપણું હોવાને કારણે=ભક્તિ કરનારની પોતાની ઇચ્છાના નિમિત્તને કારણે થનારી હોવાથી, સ્વભાવપેસાબ=સ્વભાવભેદની સાધક નથી=એકસ્વભાવ અને અભેદસ્વભાવરૂપ સ્વભાવભેદની સાધક નથી. રૂત્તિ પરમાર્થ =એ પ્રમાણે પરમાર્થ છે=સારોપ અને સાધ્યવસાનલક્ષણામાં ભેદ છે અર્થાત ભિન્ન ભિન્ન સ્થાને યોજાયેલી છે. ૧૩/૪ ભાવાર્થ :
સભૂત વ્યવહારનય પદાર્થમાં વાસ્તવિક જે વસ્તુ વિદ્યમાન હોય તેને જોનાર દૃષ્ટિ છે, માટે સભૂત છે અને વ્યવહાર કરવા માટે ભેદની આવશ્યકતા રહેતી હોય છે, આથી જ જે સત્ છે તે દ્રવ્ય અને પર્યાય છે એમ વ્યવહારનય ભેદ કરે છે; કેમ કે ભેદ કર્યા વગર લોકવ્યવહાર પ્રવર્તી શકે નહીં. આથી જ સત્ એવી વસ્તુના “આ ઘટ છે”, “આ પટ છે” ઇત્યાદિ વ્યવહાર પ્રવર્તે છે. વસ્તુને જોવામાં આવે ત્યારે વસ્તુ ગુણવાળી છે તેથી વસ્તુમાં ગુણ છે. માટે વિદ્યમાન એવા ગુણ અને ગુણીનો ભેદ કરીને સદ્ભુત વ્યવહારનય કથન કરે છે. તેથી સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદસ્વભાવ છે.
વળી, વસ્તુને જોવામાં આવે ત્યારે તે વસ્તુમાં વર્તતા પર્યાયો જોવામાં આવે છે. આ પર્યાયોનો આધાર એવી વસ્તુ પર્યાયી છે અને તે બંને પર્યાય-પર્યાયીરૂપ ભૂતનો ભેદ કરીને સદભૂત વ્યવહારનય કથન કરે છે. તેથી સભૂત વ્યવહારનયથી પર્યાય-પર્યાયીનો ભેદસ્વભાવ પ્રાપ્ત થાય છે. - દરેક વસ્તુ દ્રવ્ય-પર્યાયરૂપ છે અને ગુણ-ગુણીરૂપ છે છતાં તેના ભેદની કલ્પનાથી રહિત એવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી વસ્તુને જોવામાં આવે ત્યારે તે દ્રવ્યરૂપ વસ્તુમાં વર્તતા ગુણોનો તે દ્રવ્યથી અભેદ પ્રતીત થાય છે. તેથી ભેદકલ્પના રહિત એવા શુદ્ધદ્રવ્યાર્થિકનયથી અભેદસ્વભાવની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્યને જોનારી દૃષ્ટિ ભેદકલ્પનાવાળી નથી માટે શુદ્ધ દ્રવ્યને જોનારી દૃષ્ટિ છે તેથી શુદ્ધદ્રવ્યાર્થિકનયથી અભેદની પ્રાપ્તિ છે તેમ કહેલ છે.
ગાથા-૩માં એકસ્વભાવ અને અનેક સ્વભાવ કઈ નયદૃષ્ટિથી છે ? તે બતાવ્યું અને ગાથા-૪માં ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ કઈ નયદૃષ્ટિથી છે ? તે બતાવ્યું. ત્યાં વિચારકને જિજ્ઞાસા થાય કે એકસ્વભાવ અને અભેદસ્વભાવ એ બે વચ્ચે શો ભેદ છે? તેથી તેની સ્પષ્ટતા કરવા અર્થે કહે છે –
ઢાળ-૧૧ની ગાથા-૯માં એકસ્વભાવ શું છે ? તે બતાવતાં કહેલ કે રૂપ, રસ, ગંધ, સ્પર્શનો આધાર ઘટ છે, તેથી ઘટમાં આધારસ્વરૂપ એકસ્વભાવ છે તેમ પ્રાપ્ત થાય અને તે ઘટમાં આધારરૂપે કલ્પાતા રૂપ,