________________
૨૩૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૭| ગાથા-૧૨ થી ૧૫ બહુuદેશી કહેવાય છે.
પરમાણુ બહુપ્રદેશી કેમ કહેવાય છે ? તેથી કહે છે –
બહુપ્રદેશી થાવાની જાતિ પરમાણમાં છે તે માટે, પરમાણુ બહુપ્રદેશી કહેવાય છે એમ અન્વય છે. ૧૭/૧૩મા (૨) વિજાતિ અસદભૂત વ્યવહાર - ગાથા -
તેહ વિજાતિ જાણો, જિમ મૂરત મતી;
મૂરત દ્રવ્યઈ ઊપની એ. II૭/૧૪ ગાથાર્થ :
તેહ=અસદભૂત વ્યવહાર, વિજાતિથી જાણો, જેમ મૂરત મતી=મૂર્ત મતિજ્ઞાન, મૂર્ત દ્રવ્યથી ઊપની મૂર્તિ દ્રવ્યથી ઉત્પન્ન થઈ છે, માટે મૂર્ત છે. Il૭/૧૪
બો :
તેહ અસદભૂત વિજાતિ જાણો. જિમ “મૂર્ત નતિજ્ઞાન” કહિઍ. મૂર્ત-જે વિષયાલોક મનસ્કારાદિક-તેહથી ઊપનું, તે માર્ટિ. ઈહાં-મતિજ્ઞાન આત્મગુણ-તેહનઈં વિષઈં મૂર્તત્વ પુદગલગુણ ઉપચરિ. તે વિજાત્યસદ્ભૂતવ્યવહાર કહિછે. ૨. If૭/૧૪ ટબાર્થ -
તેહ અસભૂત વ્યવહાર વિજાતિ જાણો–પૂર્વમાં સ્વજાતિ કહ્યો તેનાથી વિજાતિ જાણો. જેમ, ‘મૂર્ત મતિજ્ઞાન' કહેવાય છે.
મતિજ્ઞાન મૂર્ત કેમ કહેવાય છે ? તેથી કહે છે –
જે વિષય મતિજ્ઞાનનો જે વિષય, આલોક=વિષયને જોવા માટેનો કારણભૂત પ્રકાશ, મનસ્કારાદિક =મન અને ઈન્દ્રિયો, તે મૂર્ત છે, તેનાથી ઉત્પન્ન થયું છે, માટે મતિજ્ઞાનને મૂર્ત કહેવાય છે.
ઈહાં અહીં=વિજાતિ અસભૂત વ્યવહારમાં, મતિજ્ઞાન આત્માનો ગુણ છે તેમાં, મૂર્તસ્વરૂપ પુદ્ગલનો ગુણ ઉપચાર કરાયો, તે વિજાતિ અસભૂત વ્યવહાર કહેવાય. I૭/૧૪ (૩) રવજાતિ-વિજાતિ અસભૂતવ્યવહાર :
ગાથા :
અસદભૂત દોઉ ભાંતિ, જીવ આજીવન; વિષયગ્યાન જિમ ભાસિઈ એ. I૭/૧પવા