SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० कर्मतापकं ज्ञानं = तपः । २५७७ उत्कटदोषवृन्दनिवृत्ति-तीव्रसंवेग-वैराग्योपशमभावाऽन्तर्मुखताऽऽत्मरमणताऽन्तःकरणाऽऽर्द्रतादिबलेन प तादृशनिजज्ञाननिरुपचरितस्वभावानुभवनमेव कर्मतापनात् तपसो लक्षणम्, न तु देहकार्यादिकम् । .. यथोक्तं श्रीहरिभद्रसूरिभिः ब्रह्मसिद्धान्तसमुच्चये ब्रह्मप्रकरणाऽपराऽभिधाने “उपावृत्तस्य दोषेभ्यः सम्यग्वासो गुणैः सह। उपवासः स विज्ञेयो न शरीरविशोषणम् ।।” (ब्र.सि.स.२४१) इति। तदुक्तम् अध्यात्मसारे म अपि “बुभुक्षा देहकार्यं च तपसो नास्ति लक्षणम् । तितिक्षा-ब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ।।” (अ.सा.१८/ र्श 9૧૮), “ર્મતાપરું જ્ઞાનં તાતંત્રવ વેરિ | પ્રાનોતુ ન હતસ્વાન્તો વિપુનાં નિર્નરો થમ્ ?” = (.સા.૦૮/૦૬૦) તા न च एवं व्यवहाराऽतिक्रमणे शास्त्रमर्यादाऽतिक्रमणाऽऽपत्तिः इति शङकनीयम, થી તાત્વિક તપની ઓળખ દા જિજ્ઞાસા:- જ્ઞાનના આવા નિરુપચરિતસ્વભાવનો આપણને અનુભવ ક્યારે તાત્ત્વિક રીતે થાય? ઘણો તપ કરવા છતાં તેનો અનુભવ તો થતો નથી. શયન - (ઉ.) સ્વચ્છંદપણે, બેમર્યાદપણે, નિર્લજ્જપણે, રુચિપૂર્વક દોષોમાં તણાયે રાખવાનું વલણ એ દોષોની ઉત્કટતાને દર્શાવે છે. તેથી (૧) સૌપ્રથમ દોષોના કટુ ફળને હૃદયસ્પર્શી રીતે વિચારીને ઉત્કટ દોષોના ઢગલા જીવનમાંથી ઝડપથી રવાના થવા જોઈએ. પછી સંવેગ પ્રગટવો જોઈએ. સ્વસમ્મુખપણે-શુદ્ધચૈતન્યઅભિમુખપણે સતત ટકી રહેવાનો તીવ્ર તલસાટ એ સાચો સંવેગ છે. “ત્રણ લોકમાં એક માત્ર મારો શુદ્ધ આત્મા જ મારા માટે સારભૂત છે. બીજું બધું મારા માટે ભારભૂત છે' - આવું જ્યારે સાધક ભગવાનને સમજાય ત્યારે એ સંવેગ તીવ્ર બને છે. આવો (૨) તીવ્ર સંવેગ, છે (૩) જ્ઞાનગર્ભ વૈરાગ્ય, (૪) ઉપશમભાવ, (૫) અન્તર્મુખતા, (૬) આત્મરમણતા, (૭) અંતઃકરણની વ આદ્રતા વગેરે અંતરંગ પરિબળોના પ્રતાપે તથાવિધ પોતાના જ જ્ઞાનના નિરુપચરિત સ્વભાવનો અનુભવ સાધકને થાય છે. જ્ઞાનના પ્રકાશત્વસ્વભાવનો અનુભવ એ કર્મને તપાવવાના લીધે કર્મને ખપાવે 2 છે. તેથી તેવું અનુભવજ્ઞાન એ જ તપનું લક્ષણ છે. શરીરકૃશતા વગેરે તપના લક્ષણ નથી. ( ઉપવાસની સાચી ઓળખાણ * | (ચો.) આ અંગે શ્રીહરિભદ્રસૂરિજીએ બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચયમાં બહુ માર્મિક વાત કરી છે. તે ગ્રંથનું બીજું નામ બ્રહ્મપ્રકરણ છે. ત્યાં જણાવેલ છે કે “દોષોથી નિવૃત્ત થયેલ સાધક ગુણોની સાથે સારી રીતે વસવાટ કરે તેને ઉપવાસ જાણવો. શરીરને વિશેષ પ્રકારે સૂકવી નાંખવું એ ઉપવાસ નથી.” આ અંગે અધ્યાત્મસારમાં પણ ખૂબ જ માર્મિક વાત કરેલ છે. ત્યાં શ્રીમહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “ભૂખ્યા રહેવું, શરીરને કૃશ કરવું એ તપનું લક્ષણ નથી. ક્ષમા, બ્રહ્મચર્યની ગતિ વગેરેનું આશ્રયસ્થાન બનનાર જ્ઞાન એ જ તપનું શરીર = સ્વરૂપ છે. “જે જ્ઞાન કર્મને તપાવે છે, તે તપ છે' - આવું જે નથી જ જાણતો, તેનું મગજ બહેર મારી ગયેલ છે. તે કઈ રીતે પુષ્કળ નિર્જરાને મેળવી શકે? અર્થાત્ ન જ મેળવી શકે.” દલીલ :- (ન ઘ.) આ રીતે વ્યવહારનયમાન્ય બાહ્ય તપનું ખંડન કરવા દ્વારા તમે વ્યવહારનયનું
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy