SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २५७४ • नाऽमूढः लिप्यते । ૨૬/૭ प तद्दर्शनमात्रतो नैव पापबन्धः, न वा खेदोद्वेग-हर्ष-शोकाऽऽघात-प्रत्याघातादिकं स्यात्, गगन-मुक्तात्मादिवत् । - इदमभिप्रेत्योक्तं ज्ञानसारे “यो न मुह्यति लग्नेषु, भावेष्वौदयिकादिषु । आकाशमिव पकेन, नाऽसौ पापेन * તિથતા” (જ્ઞા..૪/૩), gયત્રેવ પદ્રવ્યનાદેવં પ્રતિપાદવમ્ મવવક્રેપુરોપિ નાડમૂઢ: રિવિદ્યતે પા (જ્ઞા..૪/૪) તિા ___इत्थमभ्यन्तराऽपवर्गमार्गाऽभिसर्पणे प्रशस्तप्रवृत्ति-वाणी-भाव-विचार-विकल्पादौ अहन्त्व-ममत्वधीके त्यागेन कर्तृत्व-भोक्तृत्वबुद्धित्यागेन च अतन्मयभावतो मूकसाक्षिभावोऽभ्यसनीयः। दृष्टिं निजशुद्ध" चैतन्याऽखण्डपिण्डे निधाय बहिरन्तश्चोचितप्रशस्तप्रवृत्तिभावाः कर्तृ-भोक्तृत्वभावत्यागेन यथा प्रवर्तेरन् तथा निजात्मदशा सम्पादनीया संवर्धनीया च । ततश्चाऽऽत्मभावभासनबलेनोपयोगस्य अखण्डशुद्धात्मका द्रव्यग्रहणपरायणत्वे योगलीनताह्रासेण आश्रवो हीयते, आत्मलीनतावृद्ध्या च संवरो वर्धते । “આ જ સાચું સુખ છે' - આવી સુખત્વબુદ્ધિ કે (૧૩) “આ જ સુખનું સાધન છે' - આવી સુખસાધન–બુદ્ધિ - આવી પૂર્વોક્ત ૩૫ પ્રકારની બુદ્ધિમાં આવતી તન્મયતા-એકરૂપતા-એકાકારતા એ મૂઢતા છે. એ મહામોહની પટરાણી છે. સાધક આવી મૂઢતાને છોડે છે. જે સાધક આવી મૂઢતાને છોડીને, સિદ્ધ ભગવંતની અદાથી કેવલ અસંગભાવથી ઔદયિકભાવમય સંસારનાટકને માત્ર જુએ જ છે, તેને નથી તો પાપ બંધાતું કે નથી તો ખેદ, ઉદ્વેગ, હર્ષ, શોક, આઘાત, પ્રત્યાઘાત વગેરે થતા. જેમ આકાશ મૂઢ (= મોહગ્રસ્ત) બનતું નથી તો તેને કાદવ ચોટતો નથી, તેમ ભવનાટકમાં અમૂઢ સાધકને પાપ-પંક ચોટતું નથી. જેમ મૂઢતા વિના સંસારનાટકને જોનારા મુક્તાત્માઓ ખેદ, ઉદ્વેગ વગેરે પામતા નથી, તેમ મૂઢતા | વિના સંસારનાટકને જોતો સાધક ખરેખર ખેદ, ઉદ્વેગ પામતો નથી. આ જ અભિપ્રાયથી જ્ઞાનસારમાં એ જણાવેલ છે કે “જેમ આકાશ કાદવથી લેવાતું નથી, તેમ જે વળગેલા, ઉદયમાં આવેલા ઔદયિકાદિ ભાવોમાં મૂઢ થતો નથી તે પાપથી લપાતો નથી. “સંસારચક્ર' નામના નગરમાં રહેવા છતાં પોળે' પોળે (= પ્રત્યેક સંસારી જીવમાં) ચાલી રહેલા આત્મભિન્ન એવા પુદ્ગલદ્રવ્યના નાટકને માત્ર જોતો a (પરંતુ કરતો કે ભોગવતો નહિ એવો) અમૂઢ સાધક (= પ્રેક્ષક) ખેદને પામતો નથી.” શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ ઉપર દૃષ્ટિને સ્થાપીએ છે (મ.) આ રીતે અભ્યત્તર મોક્ષમાર્ગે આગળ વધતાં ઉપરની દશામાં તો પ્રશસ્ત કાયિક પ્રવૃત્તિ, પ્રશસ્ત વાણી, પ્રશસ્ત ભાવ, પ્રશસ્ત વિચાર, પ્રશસ્ત વિકલ્પ વગેરેમાં “હું પણાની બુદ્ધિને અને મારાપણાની બુદ્ધિને તથા કર્તા-ભોક્તાપણાની બુદ્ધિને છોડીને તેમાં ભળ્યા વિના, તન્મય બન્યા સિવાય, મૂક સાક્ષીભાવનો અભ્યાસ કરવો. પોતાના શુદ્ધ ચૈતન્યના અખંડ પિંડ ઉપર દષ્ટિને સ્થાપીને, સ્વાત્મદ્રવ્ય ઉપર રુચિનું જોર આપીને, “બહારમાં ઉચિત પ્રશસ્ત પ્રવૃત્તિ થતી રહે અને અંદરમાં યોગ્ય શુભ ભાવો પ્રવર્તતા રહે તથા તે પણ કર્તુત્વ-ભોસ્તૃત્વભાવને છોડીને પ્રવર્તતા રહે - તેવી પોતાની આત્મદશા કેળવવાની છે અને સમ્યફ પ્રકારે વધારવાની છે. તેનાથી હું દેહાદિથી છૂટું ચેતન તત્ત્વ છું’ – આ પ્રમાણે સાધકને અંદરમાં આત્મભાવભાસન થાય છે. આ રીતે આત્મભાવનું ભાસન કાળક્રમે બળવાન થતું જાય છે. તેના લીધે સાધક પ્રભુનો ઉપયોગ અખંડ શુદ્ધ આત્મદ્રવ્યને સાક્ષાત ગ્રહણ કરવામાં તત્પર થાય છે.
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy