SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬/૭ ० तन्मयभावलाभोपायविचारः २५३९ युक्तञ्चैतत्, यत इत्थमेव ध्येयगुणमयत्वम् इन्द्रियार्थोन्मनीभावश्च द्रुतं सिध्येयाताम्, नान्यथा। प्रकृते “ध्यानाऽध्ययनाऽभिरतिः प्रथमम्, पश्चात् तु भवति तन्मयता” (षो.१२/१४) इति षोडशकोक्तिः विभावनीया। 'तन्मयता = ध्येयगुणमयता'। परमोदासीनभावाऽभ्यासेन शब्दादिविषयाणां ग्राह्यत्वे रा इन्द्रियाऽन्तःकरणाऽऽत्मनाञ्च ग्राहकत्वे क्षीणे सति नित्य-निरञ्जनाऽऽत्मध्यानबलेन च देहेन्द्रिया- म द्यध्यासे प्रक्षीणे सति आत्मज्ञानिना तन्मयता लभ्यते । इदमेवाऽभिप्रेत्योक्तं ध्यानदीपिकायां । “तन्मयत्वमवाप्नोति ग्राह्य-ग्राहकवर्जितः” (ध्या.दी.१७४) इति, अध्यात्मसारे च “उपास्ते ज्ञानवान् देवं यो २५ નિરશ્નનમવ્યયમ્ સ તુ તન્મયતાં યાતિ ધ્યાનનિધૂતજન્મ:II” (૩.સા.9/૬ર) રૂઢિા इह परमोदासीनभावाऽभ्यासकाले “बहिरन्तश्च समन्तात् चिन्ता-चेष्टापरिच्युतो योगी। तन्मयभावं પ્રાપ્ત: વત્નતિ કૃશમુન્મનીમાવત્ II” (યો.શા.૧ર/ર૦), વૃત્તિ પ્રધાન સ્વાન વાનીન્દ્રિયન નો रुन्ध्यात् । न खलु प्रवर्तयेद् वा, प्रकाशते तत्त्वमचिरेण ।।” (यो.शा.१२/२६), “चेतोऽपि यत्र यत्र, प्रवर्त्तते का યુક્તિસંગત જ છે. કારણ કે આ રીતે જ સાધુ ઝડપથી ધ્યેયગુણમય બની શકે. ઈન્દ્રિયના વિષયોમાંથી ઈન્દ્રિયોને અને મનને છોડાવવા સ્વરૂપ ઉન્મનીભાવ પણ આ રીતે જ સિદ્ધ થાય. બીજી કોઈ રીતે નહિ. પરમાત્મગુણમય બનવું અને ઉન્મનીભાવને પ્રગટાવવો એ તો સાધુજીવનમાં મુખ્ય લક્ષ્ય છે. • સાધક ધ્યેયગુણમય બને છે (9) પ્રસ્તુતમાં ષોડશક ગ્રંથની એક વાત ઊંડાણથી વિચારવી. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “દીક્ષા જીવનમાં સૌપ્રથમ ધ્યાન-અધ્યયનમાં અભિરતિ-અભિરુચિ હોય છે. પછી તન્મયતા = ધ્યેયગુણમયતા આવે છે.” જ્યારે બહારમાં પરમ ઉદાસીનભાવ ઘૂંટાવાથી શબ્દાદિ વિષયોમાં ગ્રાહ્યતા મરી પરવારે તથા ઈન્દ્રિય, મન અને આત્મા - આ ત્રણમાં શબ્દાદિની ગ્રાહકતા મરી પરવારે ત્યારે નિત્ય અને નિરંજન એવા આત્માનું ધ્યાન કરવાના બળથી દેહાધ્યાસ, ઈન્દ્રિયાધ્યાસ, રાગાધ્યાસ, નામાધ્યાસ વગેરેનો અત્યંત ક્ષય થતાં આત્મજ્ઞાનીને તન્મયભાવ = તન્મયતા = ધ્યેયગુણમયતા પ્રાપ્ત છે થાય છે. આ જ અભિપ્રાયથી ધ્યાનદીપિકામાં શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ જણાવેલ છે કે “ગ્રાહ્ય -ગ્રાહકભાવશૂન્યસાધક તન્મયભાવને પ્રાપ્ત કરે છે.” તથા અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “જે જ્ઞાની સાધક નિરંજન નિત્ય પરમાત્માની ધ્યાનાદિ વડે ઉપાસના કરે છે, તે ધ્યાન દ્વારા કર્મના કચરાને (દેહાધ્યાસાદિને) સાફ કરીને તન્મયતાને = ધ્યેયગુણમયતાને પામે છે.” * મનોવિજયનો મનનીય માર્ગ છે () અહીં પરમ ઉદાસીનભાવનો અભ્યાસ કરવાના અવસરે યોગશાસ્ત્રની અમુક વાતો ભૂલવા જેવી નથી. ત્યાં શ્રી હેમચંદ્રસૂરિજીએ જણાવેલ છે કે “બહારમાં અને અંદરમાં તમામ ચિન્તાઓથી અને ચેષ્ટાઓથી છૂટેલા યોગી તન્મયભાવને પ્રાપ્ત કરીને અત્યંત ઉન્મનીભાવને અનુભવે છે. પોત-પોતાના વિષયોને ગ્રહણ કરતી ઈન્દ્રિયોને રોકવી નહિ તથા (વિષયોમાં પ્રવૃત્ત ન થતી) ઈન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તાવવી નહિ. આ રીતે સાધક ન તો ઈન્દ્રિયોને રોકે કે ન તો ઈન્દ્રિયોને પ્રવર્તાવે, તો પરમ તત્ત્વ ઝડપથી પ્રકાશે છે. મન પણ જ્યાં-જ્યાં પ્રવર્તતું હોય ત્યાં-ત્યાંથી તે મનને અટકાવવું નહિ. કારણ
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy