SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ २४५६ ० नैश्चयिकविघ्नजयादिप्रकर्षः । प - 'व्यसनोपनिपातधैर्य-तत्त्वमार्गानुगदृढसुश्रद्धा- मैत्री-शिष्टलोकवाल्लभ्य-"निजात्मादितत्त्वगोचरप्रातिभ__ भासन- मुक्तकदाग्रहत्व- द्वन्द्वसहिष्णुता-द्वन्द्वविनाश- समाधिजनकबाह्यसाधनलाभ-'"धृति-क्षमा १°सदाचार-रत्नत्रयप्रवृद्धि-गौरवलाभा'ऽऽ देयता नुत्तरप्रशमसौख्य-२२सार्वदिकाऽमूढता म २३पुरातनपापप्रक्षय- "जितेन्द्रियता-ग्रामकण्टकसहिष्णुता-निर्भयता-"निर्मदता-“निर्निदानता of २९देहाध्यासविप्रमुक्तता-कुतूहलादिशून्यता-परिषहोपसर्गविजयाऽध्यात्मरक्तता-सर्वसङ्गशून्यता ३"स्वोत्कर्षत्याग- धर्मध्यानमग्नता-नित्यहितस्थिताऽऽत्मता-"लौल्यत्याग- स्वास्थ्याऽनिष्ठुरत्व નિષ્ફળ જાય. (૩) અવિઘાથી મલિન થયેલ ચિત્તની શુદ્ધિ થાય. (૪) દેવ-ગુરુ-યોગીનો પ્રસાદ અને પ્રેરણા મળે તેવા શુક્લ સ્વપ્રોનું દર્શન થાય. (૫) પ્રતિજ્ઞા કરેલ વિષયનો નિર્વાહ (પાલન) કરવા માટે જરૂરી મન-વચન-કાયાની સ્થિરતા મળે. (૬) સેંકડો વિપત્તિના વાદળો ઘેરી વળે તેવા સંયોગમાં પણ ધીરજ ટકી રહે, મન ચલાયમાન ન થાય. (૭) તત્ત્વ માર્ગને અનુસરનારી સાચી અને દઢ એવી આંતરિક શ્રદ્ધા-રુચિ પ્રગટ થાય. (૮) સર્વ જીવો પ્રત્યે મજબૂત મૈત્રી જાગે-જામે. (૯) શિષ્ટ પુરુષોમાં પ્રિય બને. (૧૦) પોતાના આત્મા વગેરે તત્ત્વનું સહજ પ્રતિભાજન્ય = પ્રાતિજ એવું ભાસન થાય, ભાવભાસન થાય, તત્ત્વાવલોકન થાય. (૧૧) ખોટો આગ્રહ છૂટી જાય. (૧૨) ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ વગેરે દ્વન્દ્રોને સારી રીતે સહન કરે. (૧૩) તેવા દ્વન્દ્રોને લાવનારા કર્મોની શક્તિને પરિશુદ્ધ યોગસાધના દ્વારા હણવાથી પ્રાયઃ તેવા દ્વન્દ્રોનો પણ વિનાશ થાય. (૧૪) સમાધિજનક અને સંયમસાધક એવા એ ગોચરી-પાણી-વસ્ત્ર-પાત્ર વગેરે જરૂરી સાધનોની પ્રાપ્તિ સરળતાથી સહજપણે થાય. (૧૫) જીવનનિર્વાહ નિમિત્તભૂત ગમે તેવા સાદા ભોજન-વસ્ત્રાદિથી પણ સાધક સદા સંતુષ્ટ રહે. (૧૬) સાચા-ખોટા દોષને dી સાંભળીને, પરિણામનો વિચાર કર્યા વિના, અંદરમાં અને બહારમાં ક્રોધના ઉદયથી આવતી વિકૃતિને સહજતાથી અટકાવવા સ્વરૂપ ક્ષમા પ્રગટે. (૧૭) સર્વ જીવો ઉપર ઉપકાર કરવો, પ્રિય વાણી બોલવી, 4 અકૃત્રિમ ઉચિત લાગણી દેખાડવી વગેરે સદાચાર જીવનમાં વણાઈ જાય. (૧૮) મોક્ષબીજભૂત સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રનો ઉત્કર્ષ-પ્રકર્ષ થાય. (૧૯) સર્વત્ર ગૌરવ-સત્કારાદિનો લાભ થાય. (૨૦) પોતાના વચનનો અને વ્યવહારનો લોકો આદર કરે. (૨૧) વિષયભોગવટાથી ચઢિયાતું એવું આંતરિક પ્રશમ સુખ મળે. આ પ્રમાણે યોગબિંદુમાં જણાવેલ યોગફળો અહીં પ્રાપ્ત થાય છે. તે જ રીતે દશવૈકાલિકસૂત્રમાં દશમા અધ્યયનમાં જણાવ્યા મુજબ, (૨૨) સાધુ સર્વદા મૂઢતાનો ત્યાગ કરે છે. (૨૩) જૂના ચીકણા પાપને ખપાવે છે. (૨૪) ઈન્દ્રિયોને જીતે છે. (૨૫) ઈન્દ્રિયદુઃખદાયી કટુશબ્દ વગેરે સ્વરૂપ કાંટાઓને પ્રસન્નતાથી સહન કરે છે. (૨૬) સ્મશાન વગેરેમાં કાઉસગ્ગ કરતી વખતે ભયાનક નિમિત્તો જોઈને પણ ભય ન પામે. (૨૭) જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, શ્રતમદ, તપમદ, લાભમદ અને ઐશ્વર્યમદ – આ આઠેય મદને છોડે. (૨૮) અપ્સરા વગેરેને જોવા છતાં તેને ભોગવવા વિશે પરલોકસંબંધી નિયાણું કે ઈચ્છા લેશ પણ કરે નહિ. (૨૯) હણાવા છતાં, છોલાવા છતાં પણ દેહને વોસિરાવીને દેહાધ્યાસથી વિપ્રમુક્ત બને છે. (૩૦) કુતૂહલ, કૌતુક, હાસ્ય, ઠઠ્ઠી -મશ્કરી, મજાક-મસ્તી, તોફાન, ધમાલ-ચકડી વગેરેથી રહિત બને છે. (૩૧) પરિષહ-ઉપસર્ગો ઉપર વિજય મેળવે છે. (૩૨) અધ્યાત્મમાં રક્ત-મગ્ન બને છે. (૩૩) ઉપધિ-ઉપાશ્રય-ભોજન-ભક્ત-સ્વજન -શિષ્ય-શરીર વગેરે તમામના સંગથી-મમતાથી શૂન્ય હોય છે. (૩૪) સ્વપ્રશંસાનો ત્યાગ કરે છે. (૩૫)
SR No.022384
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages524
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy