________________
size
* भेदज्ञानसौलभ्योपायोपदर्शनम्
१३/६
परमभावग्राहकनयतः कर्म- नोकर्मादिपरद्रव्याणां जडत्वं स्वात्मद्रव्यान्यत्वं च विज्ञातुं “जं णियदव्वहँ भिण्णु जडु तं परदव्वु वियाणि ” ( प.प्र. ११३ ) इत्यादिपरमात्मप्रकाशवचनानि सन्ततं स्मर्तव्यानि । ततश्च कायकष्टादिप्रसङ्गे भेदज्ञानं सुलभं स्यात् ।
र्श
२०१०
स्वत्व-स्वामित्व-कर्तृत्व-भोक्तृत्वाद्यध्यवसायो रागादिविभावपरिणामलक्षणभावकर्मगोचरः कर्मचेतना - विधया मनो-वाक्-कायादिगोचरश्च कर्मफलचेतनाविधया विज्ञेयः । रागादिशून्य-मनोऽतीत-वचनाती क - कायातीताऽज्ञानाद्यपेत-परमानन्दमय-स्वप्रकाशस्वरूपात्मस्वभावगोचरो हि स ज्ञानचेतनाविधया अवसेयः । णि आद्यद्वयपरित्यागेन तृतीयविश्रान्तितः “सासयसोक्खो तओ मोक्खो” (प.व.१०६६) इति पञ्चवस्तुकदर्शितो મોક્ષઃ મુત્તમઃ ચાવિધેયમ્।।૧૩/૬।।
26
2
ભેદજ્ઞાનના ઉપાયને
અપનાવીએ
(પર.) તથા ‘પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયથી કર્મ, નોકર્મ વગેરે પરદ્રવ્યો જડ છે અને આપણા આત્મદ્રવ્યથી ભિન્ન છે’ - આવું વિશેષ રીતે જાણવા માટે ‘આપણા આત્મદ્રવ્યથી જે ભિન્ન (=વિજાતીય) છે, તે પરદ્રવ્યને જડ તરીકે જાણવા'- ઈત્યાદિ પરમાત્મપ્રકાશ ગ્રંથના વચનોને સતત યાદ કરવા, વાગોળવા, હૃદયમાં ઘૂંટવા. તેનાથી કાયકષ્ટાદિને સહન કરવાના પ્રસંગમાં ભેદજ્ઞાન સુલભ બને. કર્મચેતના-કર્મફલચેતનાને છોડી જ્ઞાનચેતનામાં લીન બનીએ
(સ્વ.) અહીં અસભ્તવ્યવહારથી કર્મ-નોકર્મને ચેતન જણાવેલ છે. તે બાબતમાં હજુ ઊંડાણથી વિચારીએ તો કહી શકાય કે (૧) રાગાદિ વિભાવપરિણામસ્વરૂપ ભાવકર્મમાં પોતાપણાની = હુંપણાની બુદ્ધિ, મારાપણાનો અધ્યવસાય, કર્તૃત્વ-ભોતૃત્વબુદ્ધિ જાગે તે કર્મચેતના તરીકે સમજવી. ‘હું જ રાગ છું. રાગ મારો પરિણામ છે. રાગ મારું કાર્ય છે. હું રાગાદિનો ભોક્તા છું’ - આ પ્રમાણે જે અધ્યવસાય થાય, તે કર્મચેતના તરીકે જ્ઞાતવ્ય છે. તથા (૨) મન, વચન, કાયા વગેરેમાં જે સ્વત્વબુદ્ધિ વગેરે થાય, તે કર્મફલચેતનાસ્વરૂપે જાણવી. મતલબ કે ‘હું જ શરીરછું. હું મનનો માલિક છું. વચનનો કર્તા છું. દેહાદિનો ભોક્તા છું – આવો અધ્યવસાય ‘કર્મફલચેતના’ [] તરીકે જાણવો. તેમજ (૩) રાગાદિરહિત, મન-વચન-કાયાથી શૂન્ય, અજ્ઞાનાદિમુક્ત એવા પરમાનંદમય
સ્વપ્રકાશસ્વરૂપ આત્મસ્વભાવને વિશે જ હુંપણાની બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, કર્તૃત્વ-ભોતૃત્વબુદ્ધિ એ ગુ‘જ્ઞાનચેતના’ તરીકે જાણવી. કર્મચેતના અને કર્મફલચેતના હેય છે, ત્યાજ્ય છે. તેને છોડીને જ્ઞાનચેતનામાં જ
સાધકે વિશ્રાન્તિ કરવી. ‘હું શુદ્ધચૈતન્યસ્વરૂપ છું, રાગાદિસ્વરૂપ નથી. હું શુદ્ધ ચૈતન્યનો સ્વામી છું, રાગાદિનો કે દેહાદિનો નહિ. મારે રાગાદિ કે વિકલ્પાદિ કરવાના નથી. મારે તો મારા અંતરંગ ભૂલાયેલા શુદ્ધ ચૈતન્યને જ પરિપૂર્ણપણે પ્રગટ કરવાનું છે. એમાં જ મારું તાત્ત્વિક કલ્યાણ છે. જડ-નશ્વર-અશુદ્ધ-અશુચિ-પૌદ્ગલિક એવા રાગાદિ-વિકલ્પાદિ-આહારાદિ કે સ્વ-પરદેહાદિનો ભોગવટો મને શોભે નહિ. મારે તો મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવને પૂર્ણપણે પ્રગટ કરીને મારો નિર્દોષ આનંદ, મારી આંતરિક શાંતિ, પરમ સમાધિ જ મારા માટે માણવા યોગ્ય છે’- આ રીતે કર્મચેતના-કર્મફલચેતનાનો ત્યાગ કરી જ્ઞાનચેતનામાં જ સ્વત્વ-સ્વામિત્વ-કર્તૃત્વ –ભોતૃત્વબુદ્ધિ કરીને જ્ઞાનચેતનામાં જ વિશ્રાન્તિ કરવાથી મોક્ષ સુલભ બને. પંચવસ્તુક ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ મોક્ષને શાશ્વતસુખસ્વરૂપ બતાવેલ છે. વિજ્ઞ વાચકવર્ગે આ વાતને ખ્યાલમાં રાખવી. (૧૩/૬) 1. यद् निजद्रव्याद् भिन्नं जडं तत् परद्रव्यं जानीहि । 2. शाश्वतसौख्यः सकः मोक्षः ।