SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ? ૨/૪ ० प्रयोजनवती लक्षणा न स्वतन्त्रार्थसाधिका 0 १९९७ अर्थः वाहीकः” (प.शे.पृ.६०) इत्युक्त्या गोपदार्थगतजाड्यादिगुणारोपप्रयुक्तसादृश्याऽऽख्यसम्बन्धप्रयोज्याऽऽरोपविषयीभूततत्तद्धर्मप्रकारकप्रतीतौ विषयविधया वाहिकपदार्थस्य प्रसिद्धत्वम् अनादितात्पर्यविषयत्वे सति अर्थान्तरप्रतीतिनिरपेक्षप्रतीतिविषयत्वादुपदर्शितमिति (वा.च.पृ.६०) तद्व्याख्यायां वाक्यार्थचन्द्रिकायां । हरिशास्त्रिणा व्याख्यातम्, ततोऽपि ‘गौर्वाहीक' इत्याकारा सारोपा 'गौः अयम्' इत्याकारा च साध्यवसाना गौणी र्श लक्षणा अनादितात्पर्यविषयीभूतार्थनिष्ठतया निरूढत्वाऽऽक्रान्ता सती स्वतन्त्रविषयसाधनाय प्रत्यला, कू न तु प्रयोजनवतीत्वाऽऽक्रान्ता सती इति सिध्यतीति सूक्ष्मेक्षिकया भावनीयं तर्क-व्याकरणाऽलङ्कारशास्त्रमर्मवेदिभिः। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – शक्ति-लक्षणास्वरूपं विज्ञाय (१) 'युष्माकं दोषान् द्वेषदृष्ट्या વિષય = ગૌણ કહેવાય. જેમ કે જડતા વગેરે ગુણધર્મના નિમિત્તે “જો’ શબ્દના અર્થ તરીકે ઉપસ્થિત થયેલ વાહીક એ ગૌણ = ગૌણલક્ષણાવિષયભૂત કહેવાય. નાગેશના આશયને સ્પષ્ટ કરતાં પરિભાષન્દુશેખરની વાક્યાર્થચન્દ્રિકા નામની વ્યાખ્યામાં શ્રીહરિશાસ્ત્રીએ જણાવેલ છે કે “ઉપરોક્ત કથન દ્વારા નાગેશભટ્ટ એવું જણાવે છે કે “ યમ્' ઈત્યાદિ સ્થળે ગાય વિષયી છે તથા ‘’ પદાર્થ વાહીક વિષય છે. વિષયમાં રહેલ જડતા, બુદ્ધિમંદતા વગેરે ગુણનો આરોપ વિષયમાં થાય છે. આ આરોપ દ્વારા સાદૃશ્ય નામનો સંબંધ વિષય-વિષયી વચ્ચે પ્રયોજાય છે. આરોપપ્રયુક્ત સાદશ્ય સંબંધ દ્વારા થતા આરોપનો વિષય બને છે જડતા, બુદ્ધિમંદતા વગેરે ગુણો. તે જડતા વગેરે ગુણધર્મોનું વિશેષણ તરીકે અવગાહન કરનારી તે પ્રતીતિનો વિશેષ્ય તરીકે વિષય બને છે વાહક પદાર્થ. તે વાહક અર્થ ગૌણીલક્ષણાજન્ય પ્રતીતિમાં વિષય તરીકે પ્રસિદ્ધ હોવાનું કારણ એ છે કે તે અનાદિકાલીન તાત્પર્યનો વિષય બનવાની છે સાથે-સાથે અન્ય અર્થથી (=વ્યક્તિગત પ્રયોજનથી) નિરપેક્ષ એવી પ્રતીતિનો પણ વિષય બને છે.” (તતો.) શ્રીહરિશાસ્ત્રીના વિવરણના આધારે પણ સિદ્ધ થાય છે કે “ર વાદી' - આવી સારોપા નામની ગૌણી લક્ષણા અને “ીઃ યમ્ - આવી સાધ્યવસાના નામની ગૌણી લક્ષણા - આ બન્ને અનાદિતાત્પર્યવિષયીભૂત અર્થમાં રહેનારી હોવાથી નિરૂઢલક્ષણા સ્વરૂપ બને છે. તેથી જ તે પોતાનો સ્વતંત્ર વિષય સિદ્ધ કરવા માટે સમર્થ છે. તે બન્ને લક્ષણા પ્રયોજનવતી સ્વરૂપ નથી. કેમ કે અનાદિતાત્પર્યવિષયીભૂત અર્થનું તે અવગાહન કરનારી છે. પ્રયોજનવતી લક્ષણા બનીને તે પોતાનો સ્વતંત્ર વિષય સિદ્ધ ન કરી શકે. આ પ્રમાણે તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના મર્મને જાણનાર વિદ્વાન પુરુષે વિશેષ પ્રકારે ઊંડાણથી વિચારવું. એક વખત વાંચવાથી આ વિષય જલ્દીથી પકડાય તેમ નથી. તેના ઉપર એકાગ્ર ચિત્તે, સૂક્ષ્મ દૃષ્ટિએ, ઊંડાણથી ઊહાપોહ કરવાની આવશ્યકતા છે. આવું જણાવવા માટે “પરામર્શકર્ણિકા' વ્યાખ્યામાં “ભવનીયમ્' શબ્દનો પ્રયોગ કરેલ છે. જે લક્ષણાનો આધ્યાત્મિક ઉપયોગ કરીએ છે આધ્યાત્મિક ઉપનય - અહીં ટબામાં તથા પરામર્શકર્ણિકામાં દર્શાવેલ શક્તિ અને લક્ષણાનું સ્વરૂપ જાણીને (૧) “તમે તમારા દોષને લાલ આંખથી જુઓ... - આવા શાસ્ત્રવચનથી જે શાબ્દબોધ ઉત્પન્ન
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy