________________
१९७४ • शुद्धात्मस्वरूपप्रद्योतनम् ।
१३/२ स्वास्थ्याऽऽदेयनामकर्मोदयाऽभ्युदय-यशःकीर्त्याद्यवसरे पुण्योदयपराकाष्ठायां पर्यायार्थिकनयसम्मताऽनित्यस्वभावं चेतसिकृत्य नम्रतया मृदुतया च भाव्यम् । इत्थञ्च व्याध्यादिप्रतिकूलतायां स्वस्य नित्यस्वभावं पुण्योदयाद्यनुकूलतायाञ्च आरोग्याऽभ्युदयादीनाम् अनित्यस्वभावं विमृश्य मध्यस्थतया विरक्ततया च भाव्यम् । तत एव “गुणत्रयविनिर्मुक्तो गन्ध-स्पर्शविवर्जितः। अच्छेद्यश्चाप्यभेद्यश्च निर्लेपो निर्मलः प्रभुः ।।” (यो.प्र.३०) इति योगप्रदीपदर्शितं शाश्वतं शुद्धात्मस्वरूपं जवात् प्रादुर्भवेत् _TI9રૂ/રા. પરાકાષ્ઠામાં પર્યાયાર્થિકનયસંમત નિજ અનિત્યસ્વભાવને દૃષ્ટિમાં કેન્દ્રસ્થાને સ્થાપિત કરી નમ્રતા-લઘુતા -મૃદુતા ધારણ કરવી. ટૂંકમાં, રોગ વગેરે પ્રતિકૂળતામાં આત્માનો નિત્યસ્વભાવ અને પુણ્યોદય વગેરે તે અનુકૂળતામાં આરોગ્ય, અભ્યદય વગેરેનો અનિત્યસ્વભાવ વિચારી મધ્યસ્થ બનવું, વિરક્ત રહેવું. આ
રીતે વર્તવાથી જ યોગપ્રદીપ ગ્રંથમાં દર્શાવેલ શાશ્વત શુદ્ધાત્મસ્વરૂપ ઝડપથી પ્રગટે. ત્યાં જણાવેલ છે 2. કે “સિદ્ધ પ્રભુ સત્ત્વ-રજતમોગુણશૂન્ય છે, ગન્ધ-સ્પર્શવર્જિત છે, અચ્છેદ્ય, અભેદ્ય, નિર્લેપ અને નિર્મલ
છે.” (૧૩/૨)
(લખી રાખો ડાયરીમાં... ) • વાસના બીજાની હાય લે છે.
ઉપાસના બીજાની દુવા લે છે,
બીજાને હાશકારો આપે છે. • બુદ્ધિ બીજાના સારા સમાચારમાં શંકા કરે છે;
નબળી વાતને સહર્ષ સ્વીકારે છે. • શ્રદ્ધા બીજાના નબળા સમાચારમાં શંકા કરે છે,
સારા સમાચારને સહર્ષ સ્વીકારે છે. • સત્તા, સંપત્તિ, સૌંદર્ય,
સ્વાથ્યને વાસના વળગે છે. સમાધિ, સદુપયોગ, સદ્ગુણ,
સ્વસ્થતાને ઉપાસના ઝંખે છે. • વાસનામાં બહિર્યાત્રા છે, પદાર્થયાત્રા છે.
ઉપાસનામાં અન્તર્યાત્રા છે, પરમાત્મયાત્રા છે.