________________
१४/११
२१८६
० निजपरमानन्दाऽऽस्वादनोपायोपदर्शनम् । प करत्यरतिद्वन्द्वपाशश्च व्यामोहकारित्वात् सदैव दूरतः सन्त्याज्याः। राग-द्वेषाधुच्छेदकृते च परद्रव्य ग -गुण-पर्यायान् उपेक्ष्य अन्तर्मुखतया एकाग्रतया च शुद्धात्मद्रव्यध्यानयोगतो निजपरमानन्द आस्वादनीयः । । एवञ्च पूर्णस्वानुभवधाराऽऽविर्भावेनाऽऽशु निराकुलसर्वज्ञपदलाभसम्भवः । ततश्च '“पहीणजर-मरणा
अवेयकम्मकलंका पणट्ठवाबाहा केवलनाण-दंसणा सिद्धिपुरनिवासी णिरुवमसुहसंगया सव्वहा कयकिच्चा સિદ્ધા” (T..9/૧) તિ પથ્થસૂત્રવ્યવાિં સિદ્ધસ્વરૂપ સુત્તમ ચત્તા૪/૧૧ના શરીર, સંસ્થાન નિમિત્તક ગમા-અણગમાનો વળગાડ - આ ત્રણ વ્યામોહકારી તત્ત્વોથી સદા દૂર રહેવાની હિતશિક્ષા આ શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષ વગેરેનો મૂળમાંથી ઉચ્છેદ કરવા માટે આત્માર્થી
સાધકે પરદ્રવ્યોની તથા તેના ગુણ-પર્યાયોની ઉપેક્ષા કરવી. જણાઈ જતા પરદ્રવ્યાદિની રુચિ તોડવી. એ પરદ્રવ્યાદિને જાણવાનું લક્ષ ન રાખવું. તેમ કર્યા બાદ નિર્મળ આત્મસ્વરૂપની સમજણ દ્વારા અંતર્મુખ
-સ્વસમ્મુખ થઈને અને એકાગ્ર બનીને પોતાના શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન કરવું. તેવા ધ્યાનયોગથી પોતાના {] પરમાનંદનો આસ્વાદ માણવો. આ રીતે પરિપૂર્ણ અખંડ સ્વાનુભવધારા પ્રગટે છે. તેનાથી કોઈ પણ
જાતની આકુળતા વ્યાકુળતા વિના ત્રણ કાળના તમામ દ્રવ્યાદિને જાણવામાં સમર્થ એવું સર્વજ્ઞપદ ઝડપથી હા મળે તેવી સંભાવના છે. તેના પ્રભાવે પંચસૂત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં જણાવેલ છે
કે “સિદ્ધ ભગવંતો (૧) જરા-મરણથી રહિત હોય છે, (૨) વેદ-કર્મકલંકથી શૂન્ય હોય છે, (૩) પીડા વગરના હોય છે, (૪) કેવલજ્ઞાન-દર્શનને ધારણ કરનારા હોય છે, (૫) સિદ્ધિનગરમાં વસનારા હોય છે, (૬) નિરુપમ સુખથી યુક્ત હોય છે તથા (૭) સર્વથા કૃતકૃત્ય હોય છે.” (૧૪/૧૧)
લખી રાખો ડાયરીમાં..)
• વાસનામાં બેચેની, અજંપો, અકળામણ, ધમાલ છે.
ઉપાસનામાં નરી નિરાંત, શાંતિ, પ્રસન્નતા, સ્થિરતા છે. સાધના અધિકરણને છોડી ઉપકરણને પકડે છે. ઉપાસના તો અધિકરણને પણ ઉપકરણમાં ફેરવીને
અંતઃકરણ દ્વારા પ્રભુ સાથે એકીકરણ સાધે છે. • વાસના મોહ-વ્યામોહ-સંમોહને પેદા કરે છે.
ઉપાસના નિર્મોહી દશાને પ્રગટાવે છે.
1. प्रहीणजरा-मरणाः अवेदकर्मकलङ्काः प्रणष्टव्याबाधाः केवलज्ञान-दर्शनाः सिद्धिपुरनिवासिनः निरुपमसुखसङ्गताः सर्वथा कृतकृत्याः सिद्धाः।