SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २१६० ___० गुणार्थपर्यायगतशुद्धत्वाऽशुद्धत्वस्वरूपप्रज्ञापना 0 ૨૪/૭ पृ.८९०) इति भगवतीसूत्रोक्तिः अपि व्याख्याता, अर्थपर्यायभेदे पर्याय-पर्यायिणोरभेदात् तदुपपत्तेः । प्रकृते गुणार्थपर्यायेषु शुद्धत्वाऽशुद्धत्वव्यवस्था तु एवम् अवसेया - यथा पुरुषस्य व्यञ्जनपर्यायरा रूपता, बालादीनाम् अशुद्धार्थपर्यायरूपता, तत्तत्क्षणवर्तिबालादिपर्यायाणाञ्च शुद्धार्थपर्यायरूपता सम्मतितर्कवृत्त्यनुसारेण पूर्वम् (१४/२-६) उपदर्शिता, तथैवात्राऽपि केवलज्ञानादेः व्यञ्जनपर्यायरूपता, भवस्थ-सिद्धस्थकेवलज्ञानादेः अशुद्धार्थपर्यायरूपता, तत्तत्क्षणवर्तिकेवलज्ञानादेश्च शुद्धार्थपर्यायरूपता स्वीकार्या। एवमेव ज्ञान-संयमादीनां व्यञ्जनपर्यायरूपता, अप्रथमाऽचरममतिज्ञानादि-सूक्ष्मसंपराय* सरागसंयमादीनाम् अशुद्धार्थपर्यायरूपता प्रथमसमयविशिष्ट-चरमसमयविशिष्ट-तत्तत्क्षणविशिष्टमतिणि ज्ञानादि-सूक्ष्मसंपरायसरागसंयमादीनाञ्च शुद्धार्थपर्यायरूपता अङ्गीकर्तव्या इति तावद् वयम् अवका गच्छामः। अन्यथा वा बहुश्रुतैः योज्यम् आगम-तर्कानुसारेण । ___इह कोष्ठकरूपेण अष्टधा जीवपर्यायाः प्रदर्श्यन्ते । નિગ્રંથ, (૪) અચરમસમયવાળા નિર્ગસ્થ' - આ પ્રમાણે ભગવતીસૂત્રમાં જે નિર્ઝન્થભેદો જણાવેલ છે, તેની સંગતિ પણ ઉપર મુજબ થઈ જાય છે. કારણ કે અર્થપર્યાય અને તેનો આશ્રય - આ બન્ને વચ્ચે અભેદ હોવાથી અર્થપર્યાય બદલાતાં નિર્ઝન્થાત્મક અર્થપર્યાયી પણ બદલાય છે. તેથી ઉપરોક્ત નિર્ચન્થભેદો સંગત થાય છે. શુદ્ધ-અશુદ્ધ ગુણઅર્થપચયની વ્યવસ્થા જ (પ્રવૃત્ત.) પ્રસ્તુતમાં ગુણઅર્થપર્યાયોમાં શુદ્ધપણાની અને અશુદ્ધપણાની વ્યવસ્થા આ પ્રમાણે સમજવી. (A) પુરુષ એ વ્યંજનપર્યાય, (B) પુરુષની બાલ-યુવા વગેરે દશા એ અશુદ્ધ અર્થપર્યાય તથા (C) તે-તે ક્ષણમાં વર્તતી બાલાદિ અવસ્થા એ શુદ્ધ અર્થપર્યાય છે' – આ વાત પૂર્વે (૧૪૨ + ૬) સંમતિતર્કવૃત્તિ જ મુજબ જે રીતે જણાવેલ છે, તે જ રીતે પ્રસ્તુતમાં પણ (A) કેવલજ્ઞાન વગેરે વ્યંજનપર્યાય, (B) ભવસ્થ કેવલજ્ઞાન અને સિદ્ધસ્થ કેવળજ્ઞાન વગેરે અશુદ્ધ અર્થપર્યાય તથા (C) તે-તે ક્ષણમાં રહેનારા તત્ તત્ ક્ષણવિશિષ્ટ કેવલજ્ઞાન વગેરે શુદ્ધ અર્થપર્યાય તરીકે સ્વીકારવા જરૂરી છે. એ જ રીતે (A) જ્ઞાન, સંયમ વગેરે વ્યંજનપર્યાય, (B) અપ્રથમસમયવિશિષ્ટ મતિજ્ઞાનાદિ તથા અચરમસમયવિશિષ્ટ મતિજ્ઞાનાદિ તેમજ અપ્રથમ કે અચરમ સમયથી યુક્ત સૂક્ષ્મસંપરાય સરાગસંયમ વગેરે અશુદ્ધ અર્થપર્યાય અને (C) પ્રથમસમયવિશિષ્ટ કે ચરમસમયવિશિષ્ટ કે તે-તે ક્ષણથી વિશિષ્ટ મતિજ્ઞાનાદિ તથા સૂક્ષ્મસંપરાય સરાગસંયમ વગેરે શુદ્ધ અર્થપર્યાય છે – આવું સ્વીકારવું જોઈએ. મતલબ કે અતિદીર્ઘકાલીન પર્યાય એ વ્યંજનપર્યાય. તેનાથી અલ્પતરકાલવર્તી તેના જ અવાન્સર પ્રકાર સ્વરૂપ પર્યાય તે અશુદ્ધ અર્થપર્યાય. તથા માત્ર એક જ ક્ષણ રહેનાર તે જ અવાન્સર પ્રકાર સ્વરૂપ પર્યાય તે શુદ્ધ અર્થપર્યાય – આવી પરિભાષા સંમતિતર્કવૃત્તિ (૧/૩૨) મુજબ સ્વીકારવી જરૂરી છે. આ મુજબ અમને (મુનિ યશોવિજય ગણીને) જણાય છે. બહુશ્રુત વિદ્વાન પુરુષો બીજી રીતે પણ આગમશાસ્ત્ર અને તર્કશાસ્ત્ર અનુસાર અર્થસંગતિ કરી શકે છે. (દ.) પ્રસ્તુતમાં જીવના આઠ પર્યાયો કોઇકરૂપે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જણાવેલ છે. કોઇક અત્યન્ત સ્પષ્ટ હોવાથી અહીં કર્ણિકા સુવાસમાં તેની ફરીથી છણાવટ કરવામાં આવતી નથી.
SR No.022383
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 06
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy