________________
१३/१२
* परमाणुस्वरूपप्रकाशनम्
२०५९
इत्थञ्च पुद्गलाणौ व्यावहारिकः अमूर्त्तस्वभावः नैश्चयिकश्च मूर्त्तस्वभावः कक्षीकर्तव्य इति नः तात्पर्यम्।
प
તેન “પરમાણુપોશણે નં અંતે ! તિવન્ને ખાવ તિાસે પન્નત્તે ?, ગોયમા ! છુપાવશે, Pાંધે, રસે, લુપ્તાને પન્નત્તે” (મ.મૂ.જ્ઞ-૧૮, ૩.૬) કૃતિ માવતીસૂત્રવચનપિ વ્યાક્યાતમ્,
तस्य पुद्गलपरमाणौ नैश्चयिकमूर्त्तत्वप्रतिपादनपरत्वात् ।
रा
A st
अत एव भगवतीसूत्रव्याख्या- तत्त्वार्थसिद्धसेनीयव्याख्याऽनेकान्तजयपताकादौ समुद्धरणरूपेण “कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरस - गन्ध-वर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ।। ” (भ.सू.१२/५/
1
પૃ.૭૪, ત.સિ.વૃ. સમુત્કૃતઃ બ/૨/૬.રૂદ્દય, અ.ગ.વ.માન-૨/અધિાર-૧/પૃ.૨૨) ત્યુત્તાપિ ન જાડવિ ક્ષતિ | મેં પુદ્ગલ પરમાણુમાં ઐશ્ચયિક મૂર્તતા
=
(♥.) ઉપરોક્ત વિચારવિમર્શથી ફલિત થાય છે કે પુદ્ગલ પરમાણુમાં તાત્ત્વિક વ્યવહારનયથી અમૂર્ત સ્વભાવ છે તથા નિશ્ચયનયથી મૂર્તસ્વભાવ રૂપીસ્વભાવ છે. અમે શ્વેતાંબરો પુદ્ગલપરમાણુમાં જે અમૂર્તસ્વભાવની વાત કરીએ છીએ તે અમૂર્તસ્વભાવ વ્યાવહારિક છે, નૈશ્ચયિક નથી. નિશ્ચયથી તો પુદ્ગલપરમાણુમાં મૂર્ત્તત્વ જ રહેલ છે. આ પ્રમાણે અમારૂં શ્વેતાંબરોનું તાત્પર્ય છે.
(તે.) આ કથનથી ભગવતીસૂત્રના એક પ્રબંધની પણ સ્પષ્ટતા થઈ જાય છે. ભગવતીસૂત્રનો પ્રસ્તુતમાં ઉપયોગી પ્રબંધ પ્રશ્નોત્તરીરૂપે નીચે મુજબ છે.
પ્રશ્ન :- ‘હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલમાં કેટલા વર્ણ, કેટલી ગંધ, કેટલા રસ અને કેટલા સ્પર્શ દર્શાવાયેલ છે ?'
પ્રત્યુત્તર :- ‘હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ
દર્શાવાયેલ છે.'
(ગત વ.) પુદ્ગલ પરમાણુમાં વ્યાવહારિક અમૂર્ત્તત્વ હોવા છતાં પણ રૂપાદિમત્ત્વસ્વરૂપ નૈૠયિક મૂર્ત્તત્વ અમને શ્વેતાંબરોને માન્ય જ છે. આ જ કારણથી ભગવતીસૂત્રવ્યાખ્યા, તત્ત્વાર્થસિદ્ધસેનીય વ્યાખ્યા અનેકાન્તજયપતાકા વગેરેમાં જે એક શ્લોક ઉદ્ધૃત કરવામાં આવેલ છે, તેની સાથે પણ અમારે શ્વેતાંબરોને કોઈ વિરોધ આવતો નથી. તે શ્લોકનો અર્થ આ મુજબ છે. ‘જે અંત્ય કારણ જ હોય, સૂક્ષ્મ અને નિત્ય હોય તે પરમાણુ હોય છે. તે પરમાણુમાં એક રસ, એક ગંધ, એક વર્ણ તથા બે સ્પર્શ હોય છે. ઘટ-પટાદિ કાર્ય દ્વારા તેના અંત્ય અવયવરૂપે પરમાણુની અનુમિતિ થાય છે.' અર્થાત્ પરમાણુનું 1. પરમાણુપુર્વાનઃ ખં મવન્ત ! તિવળ.... યાવત્ તિસ્પર્શઃ પ્રજ્ઞપ્તઃ ? ગૌતમ ! વર્ણ, વાન્ધા, રસ, ખ્રિસ્પર્શ
प्रज्ञप्तः ।
Cu
સ
(તસ્ય.) ઉપરોક્ત ભગવતીસૂત્રપ્રબંધ પુદ્ગલ પરમાણુમાં નૈૠયિક મૂર્ત્તત્વનું પ્રતિપાદન કરવામાં તત્પર છે. પરમાણુમાં વર્ણાદિસંનિવેશ સ્વરૂપ નૈૠયિક મૂર્ત્તત્વ તો અમને માન્ય જ છે. તથા નૈૠયિક મૂર્ત્તત્વ હોવા છતાં વ્યાવહારિક અમૂર્ત્તત્વનો તેમાં સ્વીકાર કરવામાં કોઈ વિરોધ પણ નથી આવતો. તેથી અમારી શ્વેતાંબરોની વાત અને ભગવતીસૂત્રના પ્રસ્તુત સંદર્ભ વચ્ચે કોઈ વિરોધ આવતો નથી. - પરમાણુલક્ષણપ્રદર્શન ક