SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ १०/१९ 0 पुनरुक्तिप्रयोजनप्रकाशनम् । १६३३ पूर्वापरविरुद्धसूत्रमूढतया भाव्यम्, सूत्रस्य प्रसुप्तसमत्वात् । तदिदमभिप्रेत्य बृहत्कल्पभाष्ये सङ्घदासगणिना प “पासुत्तसमं सुत्तं, अत्थेणाऽबोहियं न तं जाणे” (बृ.क.भा.३१२) इति, पाक्षिकसप्ततिकायां मुनिसुन्दरसूरिणा रा 2“पुव्वावरेण भाविऊण सुत्तं पयासियव्वं” (पा.स.६५) इति, दानादिप्रकरणे च सूराचार्येण “उत्सर्गेणाऽपवादेन ज निश्चयाद् व्यवहारतः। क्षेत्र-पात्राद्यपेक्षञ्च सूत्रं योज्यं जिनागमे ।।” (दा.प्र. ७/१२०) इत्युक्तमित्यवधेयम्।। यच्चेह क्वचित् किञ्चित् पुनरुक्तं तत् प्रपञ्चप्रियविनेयाऽनुग्रहार्थत्वात्, वस्तुविशेषोपलम्भप्रयोजनत्वात्, तथाविधशास्त्रपाठाऽऽदरादिभावात्, निजस्वाध्याय-संस्कारोद्दीपनादिनिमित्तभावाच्च निर्दोषमिति मन्तव्यम्। क तदुक्तम् उद्धरणरूपेण विशेषावश्यकभाष्यमलधारवृत्तौ “पुव्वभणियं पि जं वत्थु भण्णए तत्थ कारणं ण अत्थि । पडिसेहो य अणुन्ना वत्थुविसेसोवलंभो वा ।।” (वि.आ.भा.गा.१४६६ वृत्तौ उद्धृतम्) इति, स्थानाङ्गसूत्रवृत्तौ का શાસ્ત્રવચનો કાળને પર્યાય માને છે. આ બન્નેમાં તો વિરોધ છે. આમાં સાચું તત્ત્વ શું છે? તે સમજાતું નથી'- આ પ્રમાણે મૂંઝાવું નહિ. કારણ કે સૂત્ર = શાસ્ત્રવચન તો સૂતેલા માણસ જેવું છે. તેને નય -પ્રમાણ-નિક્ષેપવિચારણા દ્વારા જગાડવામાં આવે તો જ તે તાત્ત્વિક અર્થને જણાવે. આ જ અભિપ્રાયથી બૃહત્કલ્પભાષ્યમાં શ્રીસંઘદાસગણીએ જણાવેલ છે કે “ગાઢ સૂતેલા માણસ જેવું સૂત્ર અર્થથી = નયાદિવિચારણાથી જગાડવામાં ન આવે તો તે પરમાર્થને જાણી (જણાવી) શકે નહિ.” પાક્ષિકસપ્તતિકામાં શ્રીમુનિસુંદરસૂરિજીએ પણ કહે છે કે પૂર્વાપરની વિભાવના કરીને સૂત્ર દર્શાવવું જોઈએ.” દાનાદિપ્રકરણમાં સૂરાચાર્યજીએ પણ દર્શાવેલ છે કે “ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, ક્ષેત્ર, પાત્ર વગેરેની અપેક્ષાએ જિનાગમમાં સૂત્રયોજના કરવી જોઈએ.” આ બાબત ખાસ ખ્યાલમાં રાખવી. # કાળવાદમાં પુનરુક્તિ સપ્રયોજન ક (ત્રે.) અહીં દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં કાલવાદમાં ક્યાંક દ્રવ્યકાળ વગેરેની વાત ફરીથી જણાવેલ વી છે. તે (૧) વિસ્તારરુચિવાળા શિષ્ય-શ્રોતા-વાચક ઉપર અનુગ્રહ કરવા માટે જણાવેલ છે. (૨) શિષ્યાદિવર્ગને કાળવસ્તુની વિશેષતા જણાવવા માટે દર્શાવેલ છે. (૩) તથાવિધ શાસ્ત્રપાઠ પ્રત્યેના આદર રી વગેરેના લીધે અમુક શાસ્ત્રપાઠ અનેક વાર જણાવેલ છે. તેમજ (૪) આ સંદર્ભે પોતાના સ્વાધ્યાય, શાસ્ત્રસંસ્કારોના ઉદીપન વગેરે પરિણામો પ્રત્યે નિમિત્ત પણ બને છે. તેથી આવી પુનરુક્તિને અહીં નિર્દોષરૂપે સમજવી. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિમાં ઉદ્ધત કરેલ એક પદ્ય બહુ માર્મિક વાત કરી જાય છે. તેમાં જણાવેલ છે કે “શાસ્ત્રમાં પૂર્વે જણાવેલી પણ જે બાબત ફરીથી કહેવામાં આવે ત્યાં કોઈક કારણ અવશ્ય હોય છે. (૧) ક્યાંક તો પૂર્વે (પૂર્વપક્ષરૂપે) જણાવેલી બાબતનો નિષેધ કરવો હોય તો પણ આગળ (ઉત્તરપક્ષમાં) પૂર્વોક્ત વિષયને ફરીથી જણાવવો પડે. (૨) ક્યાંક પૂર્વે પૂછેલી બાબતની અનુજ્ઞા આપવા માટે ફરીથી જણાવવું પડે. (૩) અથવા તો વિશેષ બાબતની શિષ્યને જાણકારી આપવી એ પણ પ્રયોજન હોઈ શકે.” સ્થાનાંગસૂત્રવ્યાખ્યામાં, બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં તથા હરિભદ્રીય આવશ્યકનિયુક્તિવૃત્તિમાં ધ્યાનશતકના વિવરણમાં એક શ્લોક ઉદ્ધત કરવામાં આવેલ છે 1. प्रसुप्तसमं सूत्रम्, अर्थेन अबोधितं न तद् जानाति। 2. पूर्वापरेण भावयित्वा सूत्रं प्रकाशितव्यम्। 3. पूर्वभणितमपि यद् वस्तु भण्यते तत्र कारणमस्ति। प्रतिषेधश्चानुज्ञा वस्तुविशेषोपलम्भो वा।।
SR No.022381
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages608
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy