________________
૧/૨૭
सर्वथानाशे समयादिविशेषणवैयर्थ्यम् *
१२९९
નહીં તો તે વસ્તુ અભાવ (થાય=) થઈ જાઈ. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયોગ જ ભાવલક્ષણસહિત છઈ. તે રહિત શશવિષાણાદિક તે અભાવરૂપઈ છઈ. ઈતિ ૧૫૦ ગાથાર્થ. ।।૯/૧૭।
विशेषणवैयर्थ्यापत्तेः। तदुक्तं विशेषावश्यकभाष्ये “ न हि सव्वहा विणासोऽद्धापज्जायमेत्तनासम्मि। स ँ -પરપન્નાયાંતધમ્મો વઘુળો નુત્તો।।” (વિ.ગા.મા.૨૩૧૩) 2“एत्थ वि न सव्वनासो समयाइविसेसणं जओऽभिहियं। इहरा न सव्वनासे समयाइविसेसणं जुत्तं । । ” (वि.आ.भा. २३९५ ) इति ।
અન્યથા = स्थित्युत्पाद-व्ययसम्पादकसामान्य-विशेषसमयसम्बन्धाऽनभ्युपगमे तस्य = સમ્યक्त्वादिभावादेः अभावता प्रसज्येत, उत्पाद - व्यय - ध्रौव्ययोगस्यैव सल्लक्षणत्वात् । तच्छून्यत्वे च तस्य शशविषाणादिरूपताऽऽपद्येत ।
અહ્વાપર્યાયોનો નાશ થાય કે અદ્વાપર્યાયવિશિષ્ટસ્વરૂપે સિદ્ધ ભગવંતનો નાશ થાય એટલે સિદ્ધ ભગવંતોના સર્વ પર્યાયોનો કે સર્વપર્યાયવિશિષ્ટરૂપે સિદ્ધ ભગવંતોનો સર્વથા નાશ થવાની સમસ્યા નહિ સર્જાય. કારણ કે અદ્વાપર્યાય સિવાયના સ્વદ્રવ્યાદિસાપેક્ષ અને પરદ્રવ્ય-ક્ષેત્રાદિસાપેક્ષ અનન્તા પર્યાયો સિદ્ધ ભગવંતોમાં રહેલા છે. તેનો ઉચ્છેદ ન થવાના લીધે સર્વથા સિદ્ધનાશની આપત્તિ નહિ આવે. જો બીજા સમયે સિદ્ધોનો સર્વથા નાશ થતો હોય તો સિદ્ધ ભગવંતોના વિશેષણ તરીકે જે પ્રથમસમય, દ્વિતીયસમય આદિ દર્શાવેલ છે તે વ્યર્થ થવાની આપત્તિ આવશે. પ્રથમ સમય પછી સિદ્ધોનું અસ્તિત્વ કોઈ પણ સ્વરૂપે હાજર ન હોય તો દ્વિતીયસમયસિદ્ધ, તૃતીયસમયસિદ્ધ કોને કહી શકાશે ? અર્થ વિના શબ્દપ્રયોગ તો વ્યર્થ જ બને ને ? આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “અદ્વાપર્યાયનો નાશ થાય એટલા માત્રથી વસ્તુનો સર્વથા નાશ માનવો યોગ્ય નથી. કારણ કે વસ્તુ સ્વ-૫૨૫ર્યાયાત્મક અનંતગુણધર્મોથી યુક્ત છે. અદ્વાપર્યાયનાશ પામવા છતાં વસ્તુનો સર્વનાશ = સર્વથા ઉચ્છેદ નથી થતો. કારણ કે પ્રથમસમય, દ્વિતીયસમય વગેરે વિશેષણો શાસ્ત્રમાં દર્શાવેલ છે. ફક્ત અદ્વાપર્યાયોનો નાશ થવાથી જો વસ્તુનો સર્વથા નાશ થઈ જતો હોય તો પ્રથમસમયાદિ વિશેષણો અયોગ્ય બની જશે.'
* ઉત્પાદાદિશૂન્ય નિરાકાર ભાવો અસત્♦
(અન્યથા.) પ્રથમ-દ્વિતીય આવું કોઈ પણ જાતનું વિશેષણ વાપર્યા વિના સમયસામાન્યના સંબંધથી ધ્રૌવ્ય સ્વૈર્ય = સ્થિરતા સ્થિતિ તથા પ્રથમ, દ્વિતીય આદિ સમયવિશેષના સંબંધ દ્વારા ઉત્પાદ -વ્યય જો સમ્યક્ત્વાદિ ભાવોમાં કે સિદ્ધાત્મામાં સ્વીકારવામાં ન આવે તો સમ્યક્ત્વ વગેરે નિરાકાર ભાવોનો તથા સિદ્ધ ભગવંત સ્વરૂપ શુદ્ધ દ્રવ્યનો ઉચ્છેદ = અભાવ થવાની આપત્તિ આવે. કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો યોગ સંબંધ થવો એ જ સત્ પારમાર્થિક વસ્તુનું લક્ષણ છે. જો સમ્યક્ત્વ આદિ ભાવોમાં ઉત્પાદાદિ ત્રિક ન હોય તો તે ભાવો સસલાના શીંગડાની જેમ સર્વથા અસત્
મિથ્યા
તુચ્છ થવાની આપત્તિ આવશે. પરંતુ આવું તો કોઈને પણ માન્ય નથી.
=
=
=
=
=
♦ પુસ્તકોમાં ‘સહિત' નથી. આ.(૧)માં છે. ... ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
1. न हि सर्वथा विनाशोऽद्धापर्यायमात्रनाशे । स्व- परपर्यायानन्तधर्मणो वस्तुनो युक्तः ।।
2. अत्राऽपि न सर्वनाशः समयादिविशेषणं यतोऽभिहितम् । इतरथा न सर्वनाशे समयादिविशेषणं युक्तम् ।।
સૂર
=