SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ * प्रदेशार्थनयविमर्शः ८/१८ इति अनेकार्थसङ्ग्रहवचनादत्र नु प्रश्नार्थे बोध्यः । प यथा ‘एक-द्वि-त्रि-चतुरिन्द्रिया जीवाः' इति जीवविभागोपदर्शने न्यूनता, विभाज्यतावच्छेदकीभूत- रा जीवत्वधर्माश्रयाणां हयादीनां पञ्चेन्द्रियजीवानां विभाज्यतावच्छेदकव्याप्यैकेन्द्रियत्वादिचतुष्टयान्यतमा- भ ऽनाश्रयत्वात् तथा ‘द्रव्यार्थिकादयो दशविध - षड्विधादयः' इति मूलनयावान्तरनयविभागदर्शने न्यूनतादोषस्याऽपरिहार्यत्वमेव, विभाज्यतावच्छेदकीभूतद्रव्यार्थिकनयत्वाश्रयस्य प्रदेशार्थनयस्य विभाज्यतावच्छेदकव्याप्यकर्मोपाधिशून्यशुद्धद्रव्यार्थिकत्वादिदशकान्यतमाऽनाश्रयत्वात् । र्श क न च प्रदेशार्थनय एव नास्तीति न न्यूनतादोष इति वाच्यम्, सोमिलवक्तव्यतायां भगवतीसूत्रेण નયવિભાગમાં ન્યૂનતા દોષ લાગુ પડશે. કારણ કે વિભાજ્યતાઅવચ્છેદકધર્મથી આક્રાંત હોવા છતાં પ્રદેશાર્થનય આવશ્યક વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એવા દેવસેનદર્શિત કોઈ પણ ધર્મનો આશ્રય બનતો નથી. નવનયવિભાગમાં પણ ન્યૂનતા al (યા.) વિભાજ્યતાઅવચ્છેદક ધર્મથી વિશિષ્ટ જે જે પદાર્થ હોય તે તમામ જો કોઈક વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મનો આશ્રય બને તો જ તે વિભાગ સમ્યક્ કહેવાય. જો વિભાજ્યતાઅવચ્છેદક ધર્મનો આશ્રય એ વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય ધર્મનો આશ્રય ન બને તો વિભાગમાં ન્યૂનતા દોષ લાગુ પડે. દા.ત. ‘જીવના ચાર ભેદ છે - (૧) એકેન્દ્રિય, (૨) બેઈન્દ્રિય, (૩) તેઈન્દ્રિય, (૪) ચરિંદ્રિય’ - આ પ્રમાણે જીવનો વિભાગ બતાવવામાં આવે તો તેમાં ન્યૂનતા દોષ રહેલો છે. કારણ કે વિભાજ્યતાઅવચ્છેદકીભૂત જીવત્વ ધર્મનો આશ્રય હોવા છતાં પણ ઘોડો, ગાય વગેરે પંચેન્દ્રિય જીવો વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય એકેન્દ્રિયત્વ, બેઈન્દ્રિયત્વ વગેરે વિવક્ષિત ચાર ધર્મોમાંથી એકનો પણ આશ્રય બનતા નથી. તેમ ‘નયો નવ પ્રકારના છે. દ્રવ્યાર્થિક વગેરે નવ નયો ક્રમશઃ દવિધ, ષવિધ વગેરે પ્રકારે છે' - આ પ્રમાણે દેવસેનજીએ દર્શાવેલ મૂલનયનો અવાન્તર નયવિભાગ પણ ન્યૂનતા દોષથી ગ્રસ્ત છે. કારણ કે વિભાજ્યતાઅવચ્છેદકીભૂત દ્રવ્યાર્થિકનયત્વ નામના ગુણધર્મનો આશ્રય હોવા છતાં પ્રદેશાર્થનય પ્રસ્તુતમાં વિભાજ્યતાઅવચ્છેદકવ્યાપ્ય તરીકે જણાવેલ કર્મોપાધિરહિત શુદ્ધ દ્રવ્યાર્થિકત્વ વગેરે દશ ગુણધર્મોમાંથી એક પણ ગુણધર્મનો આશ્રય બનતો નથી. ટૂંકમાં, પંચેન્દ્રિય જીવનો ઉપરોક્ત ચાર પ્રકારના જીવોમાં સમાવેશ ન થવાથી જેમ ઉપરોક્ત ચતુર્વિધ જીવવિભાગ ન્યૂનતાદોષથી ગ્રસ્ત છે, તેમ પ્રદેશાર્થનયનો દશ દ્રવ્યાર્થિકનયોમાં સમાવેશ ન થવાથી દવિધ દ્રવ્યાર્થિકનય વગેરે અવાન્તરનયવિભાગ ન્યૂનતાદોષથી ગ્રસ્ત છે. તેથી દશવિધ દ્રવ્યાર્થિકનય વગેરેનું પ્રદર્શન પણ અવાન્તર નયવિભાગસ્વરૂપ નથી, પણ ઉપલક્ષણ છે - તેમ સમજવું વ્યાજબી છે. ઉપલક્ષણ અન્યવિધ નયનું અસ્તિત્વ સ્વીકારે છે. જ્યારે નયવિભાગવાક્ય કે અવાન્તરનયવિભાગવાક્ય અન્યવિધ નયનું કે અવાન્તરનયનું અસ્તિત્વ માન્ય કરતો નથી. માટે દશવિધાદિનયદર્શક વાક્યને ઉપલક્ષણ કહેવામાં દોષ નથી. પણ વિભાગવાક્ય કહેવામાં ન્યૂનતા દોષ આવે છે. १०४१ સોમિલ વક્તવ્યતા વિચાર (૬ ઘ.) ‘પ્રદેશાર્થનય જ શાસ્ત્રમાન્ય નથી. માટે નવવિધ નયમાં તેનો સમાવેશ ન થવાનો કે તિિમત્તક ન્યૂનતા દોષ આવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો’ આ મુજબ અહીં શંકા ન
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy