SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ १०३८ ० उत्सूत्रभाषणस्य महानर्थकारिता 0 ८/१७ "श्रुतभेदा नयाः सप्त नैगमादिप्रभेदतः” (ल.त्र.६७) इत्युक्त्या सप्तैव नया इति सूचितम् । ततश्चोत्सूत्रभाषणाऽपसिद्धान्तदोषौ देवसेनस्य दुर्वारौ। तत्राऽपि उत्सूत्रभाषणन्तु महादोषः । स तदुक्तं गुरुस्थापनाशतके श्रीधरेण “एगे उस्सुयवयणे जंपिए जं हवेइ बहु पावं। तं सयजीहो वि नरो न - તીર દિલ વાલસતા” (.થા.શ.૮૮) તિ મવિનય | . स्वयमेव देवसेनेनाऽपि नयचक्रे “पढमतिया दव्वत्थी, पज्जयगाही य इयर जे भणिया” (न.च.४४) _ इत्युक्त्वा ‘स्वशस्त्रं स्ववधाय' इति न्यायः अनुसृतः । प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - निष्प्रयोजनं स्वबुद्ध्या आगमवैलक्षण्येन पदार्थप्रतिपादने उत्सूत्रप्ररूपणा-जिनागमाशातना-दीर्घसंसारित्वादिदोषापत्तेः पारमेश्वरप्रवचनोक्तपदार्थप्रतिपादनात् पूर्वं (१) प्रकृते અકલંકસ્વામીએ પણ “મૂલનય સાત જ છે' - તેમ સૂચિત કરેલ છે. જો તેમના મતે નવ મૂલનયો હોત તો સાતના બદલે નવ નયનું અર્થનય-શબ્દનયમાં વિભાજન તેમણે કર્યું હોત. પણ તેમણે તેમ કરેલ નથી. તેથી મૂલનયો સાત જ છે – તેમ ફલિત થાય છે. આથી દિગંબર-શ્વેતાંબર બન્ને પ્રકારના સંપ્રદાયના પ્રાચીન ગ્રંથોમાં નયના સાત પ્રકાર જ માન્ય છે, નવ નહિ – આવું ફલિત થાય છે. # ઉત્સવપ્રરૂપણા મોટો દોષ (તત્ત.) તેથી આગમિક પરિભાષા મુજબ ઉસૂત્રભાષણ અને દાર્શનિક પરિભાષા મુજબ અપસિદ્ધાન્ત - આ બે દોષ દેવસેનને દુર્વાર બનશે. આગમનું ઉલ્લંઘન કરવાથી ઉસૂત્રભાષણ તથા દિગંબર પૂર્વાચાર્યોના વચનનું ઉલ્લંઘન કરવાથી અપસિદ્ધાન્ત દોષ દુર્વાર છે. આ બન્નેમાં પણ ઉત્સુત્રભાષણ તો બહુ મોટો દોષ છે. તેથી જ ગુરુસ્થાપનાશતકમાં શ્રીધરે જણાવેલ છે કે “ફક્ત એક ઉસૂત્રવચન બોલવામાં આવે તેનાથી જે પુષ્કળ પાપ લાગે છે, તેને સો વર્ષ સુધી સેંકડો જીભવાળો વિદ્વાન માણસ કહે તો પણ . તે પૂરેપૂરું પાપકથન કરવા માટે શક્તિમાન નથી.” આ બાબતની ઊંડાણથી વિભાવના કરવી. પોતાનું શાસ્ત્ર-શસ્ત્ર પોતાના વધ માટે A (સ્વા.) ખુદ દેવસેને પણ જાતે જ નયચક્રમાં “નગમ, સંગ્રહ, વ્યવહાર - આ પ્રથમ ત્રણ નય દ્રવ્યાર્થિક છે. તથા બાકીના બતાવેલા ઋજુસૂત્રાદિ ચાર નવો પર્યાયગ્રાહી = પર્યાયાર્થિક છે' - આ કહીને મૂળ નય સાત સ્વીકારીને તેનો બે નયમાં સમવતાર કર્યો છે. મતલબ કે ત્યાં નવ નય નથી જણાવ્યા. તથા આલાપપદ્ધતિમાં દેવસેને નવ નય બતાવેલા છે. તેથી દેવસેનનું વચનાત્મક = શાસ્ત્રસ્વરૂપ શસ્ત્ર દેવસેનના પોતાના જ વધ (= નિગ્રહ કે પરાજય) માટે બને તેવા ન્યાયને દેવસેન અનુસરે છે. જ બોલતા પૂર્વે સાવધાની - આધ્યાત્મિક ઉપનય :- વગર કારણે, વગર પ્રયોજને આપણી બુદ્ધિથી આગમ કરતાં અલગ રીતે કોઈ પણ પદાર્થનું પ્રતિપાદન કરવામાં ઉસૂત્રપ્રરૂપણા, આગમઆશાતના, દીર્ધસંસારિત્વ વગેરે દોષો વળગી પડતાં વાર નથી લાગતી. તેથી કાંઈ પણ બોલતા પૂર્વે (૧) “આ બાબતમાં આગમશાસ્ત્રો શું કહે છે? 1. एकस्मिन् उच्छृतवचने जल्पिते यद् भवति बहु पापम्। तत् शतजिह्वोऽपि नरो न तरति कथयितुं वर्षशतम् ।। 2. प्रथमत्रिका द्रव्यार्थिकाः, पर्यायग्राहिणश्च इतरे ये भणिताः।
SR No.022380
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy