________________
० देवसेनमते कोटिभङ्गीप्रसङ्गः ।
८/१४ 2 “નો-વનિવ” ન્યાયાઁ વિષયભેદઈ ભિન્ન નય કહિયઇ, તો “વિવ, સ્થાન્નિત્યે” ઈત્યાદિ
સપ્તભંગી મધ્યે કોટિ પ્રકારઈ અર્પિતાનર્પિત સત્તાસત્ત્વગ્રાહક નય ભિન્ન ભિન્ન કરતાં સપ્તમૂલનય પ્રક્રિયા ભાંજઈ. એ પંડિતઇ વિચારવું. ઇતિ ૧૨૨મી ગાથાનો અર્થ સંપૂર્ણ ૮/૧૪
एवं सति ‘स्वद्रव्यादिचतुष्टयेभ्यो घटोऽस्ति एव, परद्रव्यादिचतुष्टयेभ्यो घटो नास्ति एव' इत्यादिरूपेण सप्तभङ्ग्यां स्वद्रव्यादिचतुष्टयगोचरानेकविधार्पणाऽनर्पणातः कोटिशः सत्त्वाऽसत्त्वग्राहकनयभेदकरणेन हि समयप्रसिद्धा नैगमादिसप्तमूलनयप्रक्रिया भज्येत । ततश्च तादृशार्पिताऽनर्पितसत्त्वाऽसत्त्वग्राहकनानानयप्रक्रियया प्रसिद्धा सप्तभङ्गी भज्येत, गो-बलिवर्दन्यायतः कोटिशः प्रकारसम्भवेन कोटिभङ्गीप्रसङ्गात् । शक्यं हि एवमपि वक्तुं यदुत ‘स्वद्रव्यापेक्षया यदस्तित्वं घटस्य
ના “ગો-બલિદી ન્યાયની સ્પષ્ટતા - સ્પષ્ટતા - સંસ્કૃત ભાષામાં “ો’ શબ્દ ગાય અને બળદ બન્નેનો વાચક છે. તેથી બે ગાય અને ત્રણ બળદ આવી રહેલા હોય ત્યારે “પષ્ય વઃ સ ન્ત' - એવું કહેવામાં કોઈ બાધ નથી. પરંતુ તેવું કહેવાથી શ્રોતાને સામેથી “બે ગાય અને ત્રણ બળદ આવે છે કે ત્રણ ગાય અને બે બળદ આવે છે કે પાંચેય ગાય આવે છે કે પાંચેય બળદ આવે છે' - આ બાબતનો સ્પષ્ટ બોધ થઈ શકતો નથી. તેથી તેવા સ્થળે શ્રોતાને સ્પષ્ટ બોધ કરાવવા માટે વક્તા એવું બોલે છે કે “ આવી ત્રય વસ્તિવ Hછત્તિ.” જેમ “પષ્ય વિઃ કાન્તિ ’ - આવું બોલવામાં કોઈ પણ પ્રકારનો વિષયબાધ ન હોવા છતાં પણ ગાય અને બળદ વચ્ચે કાંઈક ભેદ રહેલ હોવાથી શ્રોતાને સ્પષ્ટ બોધ થાય તે માટે તે આવી ત્ર વનિવ' - આવું બોલવામાં આવે છે, તેમ નૈગમ આદિ નો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક છે નયમાં કથંચિત્ ભેદ રહેલો હોવાથી શ્રોતાને નય અંગે સ્પષ્ટ બોધ કરાવવા માટે સાત નયના બદલે નવ 1 નયોનું નિરૂપણ દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં કરેલ છે – આવું પ્રસ્તુતમાં દિગંબરનું તાત્પર્ય જણાય છે.
ઇ દિગંબરમતમાં સમમૂલન પ્રક્રિયાભંગનો પ્રસંગ છે આ શ્વેતાંબર :- (વં સત્તિ.) જો ગો-બલિવઈ ન્યાયથી નૈગમ આદિ નો કરતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક
નયમાં કથંચિત ભેદ હોવાથી તમે સાત નયના બદલે નવ નયનું નિરૂપણ કરતા હો, તો તેવી રીતે સર્વત્ર વિચારણા કરવા જતાં સપ્તમૂલનયપ્રક્રિયા ભાંગી પડશે. તે આ રીતે :- “સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ ઘટ સત્ જ છે. પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ ઘટ અસતુ જ છે.' આ રીતે સપ્તભંગીમાં સ્વદ્રવ્યાદિ ચતુષ્કની જુદી-જુદી અર્પણા (= વિવક્ષા) અને અનર્પણા (= અવિવક્ષા) કરીને કરોડો પ્રકારે સત્ત્વ-અસત્ત્વગ્રાહક નયને જુદા કરવામાં આવે તો સપ્તભંગીમાં આગમપ્રસિદ્ધ નૈગમાદિ સાત મૂળ નયની પ્રક્રિયા ભાંગી પડશે. તથા અર્પિત-અનર્પિત સ્વરૂપે સત્તાસત્ત્વગ્રાહક વિભિન્ન નયોની મૌલિક પ્રક્રિયા માન્ય કરવામાં આવે તો તેવી નયની પ્રક્રિયા કરવાના લીધે પ્રસિદ્ધ એવી સપ્તભંગી ભાંગી પડશે. કારણ કે તે રીતે ગો-બલિવર્ધન્યાયથી વિચાર કરવામાં આવે તો કરોડો ભાંગા = પ્રકાર સંભવતા હોવાથી સપ્તભંગીના બદલે કોટિભંગી = કરોડભંગી માનવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે અહીં * * ચિહ્રદયગત પાઠ પુસ્તકોમાં નથી. લી.(૨+૩+૪) + આ. (૧) + કો.(૭+૯+૧૩) + સિ. + પા૦ પ્રતમાંથી લીધેલ છે. ૪ (૨+૩+૪)માં “સંતમૂલ' પાઠ છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.