________________
પ્રસ્તાવના
• रासना विविध प्रशनो . યશોમંગલ પ્રશસ્તિ સંગ્રહ' નું આ. યશોદેવસૂરિજીએ સંપાદન કર્યું છે. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ (પાલીતાણા) દ્વારા પ્રકાશિત આ ગ્રંથમાં પ્રસ્તુત રાસનો પરિચય અને પ્રકાશનોની વિગત આ પ્રમાણે આપી છે.
“द्रव्य-गुण-पर्यायनो रास · स्वोपज्ञ टबार्थ सह
(अपरनाम - द्रव्यअनुयोग विचार) मूलग्रन्थ
टबार्थग्रन्थ भाषा - गुजराती
भाषा - गुजराती पद्यसंख्या - २८४, ढाल - १७
श्लोकमान - १२०० रचनासमय - १७११
रचनासमय - १७११ धर्मसाम्राज्य - विजयदेवसूरि अने
धर्मसाम्राज्य - विजयदेवसूरि अने विजयसिंहसूरि (?)
विजयसिंहसूरि (?) विषय : तत्त्वज्ञान प्रकाशित : (१) प्रकरणरत्नाकर भा.१, श्रावक भीमसिंह माणेक, मुंबई, ई.स.१८७६ (मूल तथा टबार्थ)।
(२) द्रव्य, गुण ने पर्यायनो रास, प्रका. श्री जैन विजय प्रेस, सं.१९६४ (सारांश)। (३) प्राचीन स्तवनादि संग्रह, प्रका. जैन ग्रंथ प्रकाशक सभा, अमदावाद, वि.सं.१९९६ (मूलमात्र)।
(४) गुर्जर साहित्य संग्रह भा.२, संशो. श्री जैन श्रेयस्कर मंडल, महेसाणा, प्रका. उपाध्याय श्रीयशोविजयजी गुर्जर साहित्य संग्रह समिति, मुंबई, ई.स. १९३८ (मूल तथा टबार्थ)।
(५) द्रव्य-गुण-पर्यायनो रास, विजयधर्मधुरंधरसूरिना विवेचन सहित, प्रका. जैन साहित्य वर्धक सभा, अमदावाद सं.२०२० (मूल, स्वोपज्ञ तथा धुरंधरविजयगणीना विवरण सहित)।
(६) द्रव्य-गुण-पर्यायनो रास, प्रका. तथा विवेचनकार पं.शांतिलाल केशवलाल, अमदावाद, ई.स.१९८९ (मूल तथा टबार्थ)।"
આ પછી પણ કેટલાક પ્રકાશનો થયા છે. તેમાં આ. અભયશેખરસૂરિ મ.સા. ના વિવેચન સાથે દિવ્યદર્શન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત રાસનો પ્રથમ ભાગ અને પં. ધીરુભાઈના વિવેચનપૂર્વકનું પ્રકાશન (मा.१-२ | य.
• प्रस्तुत प्राशन . રાસ અને એના વિવેચનના અનેક પ્રકાશનો થયા હોવા છતાં પ્રસ્તુત પ્રકાશન એ બધામાં વિશેષ ભાતવાળું કહી શકાય.
મહોપાધ્યાય યશોવિજયજી ગણિવરની આ કૃતિના રૂપાંતરકાર, ટીકાકાર, વિવેચક મુનિ યશોવિજયજી ગણિવર છે. નામના સામ્ય ઉપરાંત ગણિવરનો ગહન અભ્યાસ અને ઊંડું ચિંતન તેમને આવા કાર્યના અધિકારી બનાવે છે. આ પૂર્વે ગણીશ્રીએ ષોડશક, ધાત્રિશત્ કાત્રિશિકા વગેરે ગ્રંથો ઉપર અતિવિસ્તારવાળી