________________
७८० ० निष्प्रयोजनमसत् :
६/१३ અનુકૂલ” = આપણા કામનો અર્થ માનઈ, પણિ પરકીય ન માનઈ. प वा भावोऽणुवलंभओ खपुष्पं व। न य निप्पओयणाओ परकीयं परधणमिव त्थि।।” (वि.आ.भा.२२२३-२४) इत्युक्तम्। प्रमाणमीमांसायामपि “वर्तमानमात्रपर्यायग्राही ऋजुसूत्रः” (प्र.मी.२/२/६) इत्युक्तम् ।
तदुक्तं प्रमाणनयतत्त्वालोकेऽपि “ऋजु = वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्रायः = આ નુસૂત્ર” (પ્રન.ત.૭/૨૮) / “થા ‘સુવિવઃ સમ્રતિ રૂત્યવિઃ” (ત.૭/ર૧) / “નું = સવક્રમમિમુહૂં शं श्रुतं = श्रुतज्ञानं यस्येति ऋजुश्रुतः, ऋजु वा अतीतानागतवक्रपरित्यागाद्वर्तमानं वस्तु सूत्रयति = गमयति के इति ऋजुसूत्रः, स्वकीयं साम्प्रतं च वस्तु, नान्यदित्यभ्युपगमपरः” (स्था.३/३/१९२, वृ.पृ.२५८) इति
स्थानाङ्गसूत्रवृत्तिकारः। तदुक्तं नयकर्णिकायाम् अपि “ऋजुसूत्रनयो वस्तु नाऽतीतं नाप्यनागतम् । मन्यते
केवलं किन्तु वर्तमानं तथा निजम् ।। अतीतेनाऽनागतेन परकीयेन वस्तुना। न कार्यसिद्धिरित्येतदसद् ૬) નપાવા” (ન.વ.99-9૨) તિ
તે ઋજુસૂત્ર કહેવાય. જે ઋજુ ન હોય તે વક્ર કહેવાય. અતીત, અનાગત અને પરકીય વસ્તુ વક્ર હોવાથી અસત્ છે. તે આ રીતે - અતીત કે અનાગત ભાવ વિદ્યમાન નથી. કારણ કે તેની ક્યાંય ઉપલબ્ધિ થતી નથી. તેથી આકાશપુષ્પની જેમ તે અસત્ છે. તથા પરકીય વસ્તુ પોતાના માટે અસત્ છે. જેમ પારકા ધનથી પોતાનું કશું કામ થઈ શકતું નથી, તેમ પારકી વસ્તુથી પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું નથી. આમ નિપ્રયોજન હોવાથી પારકા ધનની જેમ પારકી વસ્તુ અસત્ છે – આમ ઋજુસૂત્ર માને છે.” પ્રમાણમીમાંસામાં પણ ઋજુસૂત્રને માત્ર વર્તમાનપર્યાયનો ગ્રાહક દર્શાવેલ છે.
હS અતીત-અનાગત-પરકીય વસ્તુ અસત્ ઃ ઋજુસૂગ હS () પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ઋજુ = વર્તમાનક્ષણસ્થાયી કેવલ પર્યાયને [ જ મુખ્યરૂપે જણાવનારો અભિપ્રાય ઋજુસૂત્રનય કહેવાય છે. જેમ કે “સુખવિવર્ત (= આનંદપર્યાય)
વર્તમાનકાળે છે.'... ઈત્યાદિ વચન.” સ્થાનાંગસૂત્રવૃત્તિમાં અભયદેવસૂરિજીએ “ઋજુશ્રુત” અને “ઋજુસૂત્ર' આ પ્રમાણે પ્રસ્તુત નયના બે નામ દર્શાવી બે વ્યાખ્યા જણાવેલ છે. ત્યાં તેઓશ્રીએ જણાવેલ છે કે “ઋજુ = અવક્ર = અભિમુખ એવું શ્રત = શ્રુતજ્ઞાન જે નય ધારણ કરે તે નય ઋજુશ્રુતનય કહેવાય. અથવા અતીત અને અનાગત વસ્તુ વક્ર કહેવાય. તેનો ત્યાગ કરીને ઋજુ = અવક્ર = વર્તમાન વસ્તુ જણાવે તે નય ઋજુસૂત્રનય કહેવાય. જે પદાર્થ પોતાનો હોય તથા વર્તમાન કાળે વિદ્યમાન હોય તે જ પદાર્થ સત્ = વાસ્તવિક છે. પારકી ચીજ કે અતીત-અનાગત વસ્તુ ઉપયોગી નથી. આ પ્રમાણેની માન્યતા ધરાવવામાં પરાયણ એવો નય ઋજુસૂત્ર કહેવાય.” નયકર્ણિકા ગ્રંથમાં પણ જણાવેલ છે કે “ઋજુસૂત્રનય અતીત કે અનાગત વસ્તુને માનતો નથી. પરંતુ ફક્ત વર્તમાનકાલીન તથા પોતાની વસ્તુને ઋજુસૂત્રનય સ્વીકારે છે. અતીત, અનાગત કે પરકીય વસ્તુથી પોતાના કાર્યની સિદ્ધિ થતી નથી. તેથી અતીત આદિ વસ્તુ આકાશકમલની જેમ અસત્ છે.” * પુસ્તકોમાં “અનુકુલ' પાઠ અશુદ્ધ. કો. (૧૩)નો પાઠ લીધો છે.