SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ प्रस्थकोदाहरणमीमांसा ४/१३ सङ्ग्रहाश्रयणात्तु प्रतिषेधकल्पना 'न प्रस्थादिसङ्कल्पमात्रं प्रस्थादि, सन्मात्रस्य तथाप्रतीतेः असतः प्रतीतिविरोधादि'ति । ४९८ व्यवहाराश्रयणात्तु द्रव्यस्य तथोपलब्धिरद्रव्यस्यासतः सतो वा प्रत्येतुमशक्तेः, पर्यायस्य तदात्मकत्वात्, मु अन्यथा द्रव्यान्तरत्वप्रसक्तेः । આશ્રય કરવાથી પ્રસ્થક વગેરેનો કેવલ સંકલ્પ પ્રસ્થકરૂપે સત્ (= વાસ્તવિક) જ છે. આ પ્રમાણે સપ્તભંગીના પ્રથમ વિધિભંગ (= વિધેયાત્મક પ્રકાર) ની કલ્પના સમજવી. (કહેવાનો આશય એ છે કે ‘પ્રસ્થકનો સંકલ્પ પ્રસ્થક તરીકે સત્ છે કે અસત્ ?' આવી જિજ્ઞાસા ઉપસ્થિત થાય ત્યારે નૈગમનય વિધેયાત્મક જવાબ આપતા જણાવે છે કે ‘પ્રસ્થકનો સંકલ્પ પ્રસ્થકત્વરૂપે સત્ છે, અસત્ નહિ.') * પ્રસ્થક અંગે સંગ્રહનયનો મત (સપ્રહા.) જ્યારે સંગ્રહનયનો આશ્રય કરવામાં આવે તો તે નિષેધાત્મક જવાબ આપે છે. અર્થાત્ ‘પ્રસ્થક વગેરેનો સંકલ્પ પ્રસ્થક વગેરે રૂપે સત્ છે કે અસત્ ?' આવી જિજ્ઞાસાનો જવાબ આપતા સંગ્રહનય કહે છે કે ‘પ્રસ્થક વગેરેનો કેવલ સંકલ્પ એ પ્રસ્થક વગેરે સ્વરૂપ નથી. કારણ કે તમામ સત્ પદાર્થમાં તેવા પ્રકારની પ્રતીતિ થઈ શકે છે. કોઈ પણ સત્ પદાર્થમાં પ્રસ્થક તરીકેની કલ્પના કરવી તે માણસની ઈચ્છાને આધીન છે. તથા અસત્ વસ્તુની તો પ્રતીતિ થવામાં જ વિરોધ છે. તેથી ઉપર જણાવ્યા મુજબ તમામ સત્ પદાર્થમાં યથેચ્છપણે પ્રસ્થક વગેરેનો સંકલ્પમાત્ર કરવા માટે કોઈને કશોય વિરોધ ન હોઈ શકે. આ રીતે કેવલ નૈગમસંમત પ્રસ્થક જ પ્રસ્થકરૂપે છે - તેવું નથી. આમ al સંગ્રહનયની અપેક્ષાએ સપ્તભંગીના બીજા ભંગ સ્વરૂપ નિષેધની કલ્પના કરવામાં આવે છે. # પ્રસ્થક અંગે વ્યવહારનયનું મંતવ્ય સ (વ્યવહારા.) વ્યવહારનયનો આશ્રય કરવામાં આવે તો તેનું મંતવ્ય એમ છે કે ‘દ્રવ્ય જ. પ્રસ્થક વગેરે સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. જે (પ્રસ્થકવિષયક સંકલ્પ વગેરે) દ્રવ્ય સ્વરૂપ ન હોય તે પદાર્થ ચાહે સત્ હોય કે ચાહે અસત્ હોય તેને જાણવાની આપણામાં કોઈ શક્તિ નથી. તેથી પ્રસ્થક કેવલ સંકલ્પવિશેષાત્મક નથી. પરંતુ દ્રવ્યાત્મક જ છે. તથા પર્યાય પણ દ્રવ્યાત્મક જ છે. જો પર્યાયને દ્રવ્યાત્મક માનવામાં ન આવે તો દ્રવ્યાન્તરને સ્વીકારવાની આપત્તિ આવે.' આ પ્રમાણે વ્યવહારનયનો અભિપ્રાય નૈગમ અને સંગ્રહ નયના અભિપ્રાય કરતાં જુદો પડે છે. નૈગમ-સંગ્રહવિરુદ્ધ વ્યવહારનય સ્પષ્ટતા :- પ્રસ્થકયોગ્ય કાષ્ઠને જંગલમાં લેવા જતી વખતે સુથારના મગજમાં ઉપસ્થિત થતા પ્રસ્થકના સંકલ્પને પણ નૈગમનય વાસ્તવિક પ્રસ્થક તરીકે ગણાવે છે. ‘તમામ સત્ પદાર્થમાં કોઈ પણ વ્યુત્પન્ન વ્યક્તિને તમામ અવસ્થામાં પ્રસ્થકનો સંકલ્પ થઈ શકતો હોવાથી નૈગમને સંમત પ્રસ્થક જ પ્રસ્થક છે - તેવું નથી' આ પ્રમાણે જણાવીને સંગ્રહનય નૈગમનયના અભિપ્રાયનું ખંડન કરે છે. જ્યારે નૈગમ અને સંગ્રહ આ બન્ને નયના મંતવ્યનું વ્યવહારનય ખંડન કરે છે. વ્યવહારનય કહે છે કે ‘વિશેષ પ્રકારના દ્રવ્યમાં જ પ્રસ્થકની બુદ્ધિ લોકવ્યવહારમાં પ્રસિદ્ધ છે. નૈગમસંમત પ્રસ્થકસંકલ્પ દ્રવ્યસ્વરૂપ નથી. માટે તેને પ્રસ્થક કહી નહીં શકાય. તથા તમામ સત્ પદાર્થમાં પ્રસ્થક તરીકેની બુદ્ધિ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy