SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) છિદ્ર પડે તે સર્પાદિક દુષ્ટ છે પસી જઈ તેમાં વસવાવાળાને વિનરૂપ થાય, અરે! કઈ વેળા પ્રાણુનાશનું પણ કારણ થાય, તેમ દઢ ગુપ્તિરૂપી કમાડ, વૈર્યરૂપી દિવાલ, અને સમ્યકુબુદ્ધિરૂપી નીવ (પા) જેને છે એવા યતિપદરૂપી ઉજવળ મકાનમાં પ્રતિજ્ઞાભંગરૂપી નાનું સરખું છિદ્ર પડે તે રાગાદિ કુટિલ સર્પો તેમાં પેસી જઈ તે યતિને અનેક પ્રકારે વિજ્ઞભૂત થાય અરે કઈ વેળા યતિપણાને જ મૂળથી નાશ કરે. માટે સાધુ પુરુષે પ્રતિજ્ઞાભંગ પમાડનાર એવા એ અનાદિ રાગાદિ દેથી નિરંતર સાવધ રહી ધારણ કરેલી સ્વપ્રતિજ્ઞાને નિરંતર સુરક્ષિત રાખવી એ જ ચગ્ય છે. . હવે રાગાદિ દેને જય કરવાના ઉદ્યમમાં સાવધાન એવા મુનિજને પણ જે પર દેને કથન કર્યા કરે તો તે રાગાદિ દેને નહિ જીતતાં ઉલટા પુષ્ટ કરે છે. એમ ગ્રંથકાર કહે છે – स्वान्दोषान्हन्तुमुद्युक्तस्तपोभिरतिदुर्धरैः । तानेव पोषयत्यज्ञः परदोषकथाशनैः ॥ २४९ ॥ નિજ દોષને ક્ષય કરવા જે મુનિ દુર્ધર તપ કરવા ઉદ્યમવંત થયા છે, તે કદાચિત્ ઈર્ષાના ઉદયથી પરાયા છતા–અણુછતા અપવાદ કથન કરવા લાગે છે તે પરદેષ કથારૂપી ગરીષ્ટ ભેજનથી પિતાને જ રાગાદિ દેથી પુષ્ટ કરે છે. વિવેકી જનોએ પરાઈ નિંદા કરવી એ કઈ રીતે એગ્ય નથી. જેમ રસ યુક્ત ભેજન અજીર્ણદિ દેને પુષ્ટ કરે છે, તેમ પરદેષ કથનરૂપી ગરીષ્ટ ભજન અનાદિ રાગાદિ દોષોને પુષ્ટ કરે છે. અને તેથી ક્રમે કરી નિર્મળ યતિત્વપદને ભંગ થાય છે. | સર્વ પાપારંભથી નિવૃત્ત સાધુજનને અન્ય કેઈ કારણથી કષાયોને એકદમ સહસા પ્રાદુર્ભાવ થ શક્ય નથી, પરંતુ પિતાની પાસે રહેલા શરીર પ્રત્યે આસક્તિ થઈ જાય તો અવશ્ય કષાયને ઉદ્રક થઈ જાય. એ આસક્તિને મૂળથી ક્ષીણું કરવા મુનિજન દુર્ધર તપશ્ચરણાદિ આચરે છે. આમ દુર્ધર તપશ્ચરણાદિ આચરવાથી મારા અનાદિ દે અવશ્ય ક્ષીણ પામશે એવી તેની સમજ છે. પણ એ નથી સમજતો કે ગમે તેટલાં વિકટ તપશ્ચરણાદિ અનુષ્ઠાન આચરવા છતાં પણ પરદેષ કથા કહેવા સાંભળવાથી પણ એ રાગાદિ દેશે ઉત્પન્ન થાય છે, પિષણ પામે છે. જેમ અજીર્ણ શમાવવા કેઈ મનુષ્ય અનેક પ્રકારની કસરત કરી કષ્ટને સહન કરે, પરંતુ તેની સાથે જેનાથી અજીર્ણ થયું છે, એવા એ દેષના મુખ્ય કારણરૂપ રસયુક્ત ગરિષ્ટ ભેજનાદિને ન છોડે તો અજીર્ણ કેમ
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy