SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વત નારદનું દષ્ટાંત: શ્રોત્રીમતી નામની એક નગરીમાં એક પાપભીર ક્ષીરકદંબ નામે બ્રાહ્મણ રહેતું. એ વેદશાસ્ત્રને જાણકાર હાઈ એની પાસે એને પુત્ર પર્વત, બહારથી આવેલ નારદ, અને રાજપુત્ર વસુ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. એકવાર મહાજ્ઞાની આવેલા બે મુનિએમાં એક મુનિ ધીરેથી બીજા મુનિને કહે છે કે આ ત્રણમાંથી બે અધોગામી અને એક ઊર્ધ્વગામી છે. ઉપાધ્યાય એ સાંભળી ગયે. મનને થયું કે વીતરાગના માર્ગને અનુસરનારા આ મહાભાગ અસત્ય બોલે નહિ. ત્યારે એમાં રાજપુત્ર પ્રાયઃ અગામી સંભવે છે. બાકી બેમાં કેણ, એક અધોગામી, એ તપાસવું જોઈએ. કેમકે અગામી હોય તે કઈ પાપકર્મો કરે. એવાના ગુરુ બનવામાં માટે દોષ છે. કહ્યું છે – ' भर्तु भर्याकृतं पापं शिष्यपापं गुरोर्भवेत् । राज्ञि राष्ट्रकृतं, पापं राजपापं पुरोहिते ॥' । અર્થાત્ “પતિના માથે પત્નીના, ગુરુના માથે શિષ્યના રાજાના માથે પ્રજાના, અને પુરેહિતના માથે રાજાના દુષ્કૃતપાપને ભાર ચઢે છે.” એમ વિચારી પરીક્ષા માટે અંધારી રાતે લાખના રસને ભરેલો ૧-૧ કૂકડે નારદ અને પર્વતને આપી કહ્યું કે મેં આને મંત્રથી મૂર્શિત કરેલ છે તમે એને જ્યાં કેઈ ન દેખે ત્યાં મારીને લાવે.” - નારદ ગુરૂનું વચન અલંઘનીય છે એમ માનતે તે લઈને ઉપડ્યો. જંગલમાં જુએ છે તે તારામંડળ જેવું લાગે છે. યક્ષમંદિરમાં યક્ષ જોતો લાગે. શૂન્ય ઘરમાં પણ લાગ્યું કે અહિં હું પિતે તે જેવું જ છું. કદાચ આંખ મીંચી દઉં તેય
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy