SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાભિનંદીના ૮ દુર્ગુણ અહીં ભવાભિનંદીને આઠ દુર્ગણે સમજી લેવાની જરૂર છે જેથી જીવનમાંથી હંમેશ માટે એને દૂર કરી દેવાય, અને સબીજ ધર્મક્રિયાને ધર્મઆચારને અવકાશ મળી શકે. આઠ દુર્ગણે આ પ્રમાણે છે – क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनंदी स्याद् निष्फलारंभसंगतः ॥ (૧) ક્ષુદ્રતા, (૨) લાભરતિ, (૩) દીનતા, (૪) માત્સર્ય, વૈભય, (૬) શઠતા, (૭) અજ્ઞતા, અને (૮) નિષ્કલારંભ પ્રયત્ન આને ટૂંકે વિચાર આ મુજબ છે – (૧) મુકતા:-હૃદયક્ષુદ્ર એટલે તુચ્છ, છીછરું, ઉત્તાન, ઉછાછ, હલકટ, વગેરે હેય. એમાં વસ્તુને ઊંડાણથી જોવાની વાત નહીં. માત્ર પોતાને અધમ સ્વાર્થ જ પ્રિય હોવાથી એ સ્વાર્થ સિદ્ધ કરવાની તાલાવેલીમાં કઈ પણ વસ્તુ કે પ્રસંગને દીર્ધદષ્ટિથી કે નિપુણદષ્ટિથી જોવાની વાત જ ન હોય. આ સ્થિતિમાં તાવિક શ્રદ્ધા આવેજ ક્યાંથી? તત્ત્વ ગળે ઉતરે નહિ, સમજાય નહિ, તે પછી ટકવાની વાત જ શી ? તની વાતે ગળે ઊતરે અને ટકે તે જ સતત વિચાર તાત્વિક કેટિના રહી શકે. એ માટે તુચ્છ સ્વાર્થની અંધતા ટાળી વસ્તુ કે પ્રસંગને સાચા રૂપમાં જોઈ તપાસવી, અને એ માટે સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરે. એમ કરવાથી અનુચિત વર્તન, દુષ્કૃત્ય કે દિલના દુષ્ટ ભાવથી બચી જવાય. આના માટે ધર્મરત્ન પ્રકરણમાં પ્રસંગ જોવા જેવું છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy