SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્ર. વગર ખ્યાલે પણ સહેજે સહેજે યાદ આવે, આજ મગજમાં રમ્યા કરે, ભૂલ્યું ભૂલાય નહિ, એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ માટે ભૂમિકારૂપે છેવટે આંશિક તપ, આંશિકસંયમ આંશિક અહિંસા, અંશે પણ સ્વભાવમાં આવી જવા જોઈએ. એ પિતાની ચીજ લાગે અને તેના પ્રતિપક્ષી હિંસાદિ પાપ સ્થાનકે આહારાદિ સંજ્ઞાઓ, સંસારના કંચન કુટુંબ થગેરે હદયથી પારકા લાગે, ઠરૂપ લાગે, નુકશાનકારી ભાસે. સ્વભાવમાં પેસી ગયેલી અનાદિની અવળી ચર્યા સહજ ભાવે ઊછળી શકે નહિ તેવું થવું જોઈએ. ઊઠે તે બળાત્કારે ઊઠતી હોય એવી સ્થિતિ કરવી જોઈએ. સંયમ લીધે હશે ત્યાં ભૂખ બી લાગશે. પણ હવે મનમાં આહાર અને રસનાની સંજ્ઞા એટલી ઉત્કટ નહિ ઊઠે. તપ અને સંયમ મનને ધ્યાન તરફ લઈ જશે, હાર સંજ્ઞા તરફ નહિ ઘસડતા સ્વરૂપ રમણતા તરફ ઘસડશે. સાધુધમની પરિભાવના ન થાય ત્યાંસુધી સાધુધર્મ લે કારગત ન થાય. તેથી સાધુધર્મ લેતાં પહેલાં લેવાની જે પ્રાથમિક વિધિ, તેના અધિકારની તજવીજ થવી જોઈએ. વિધિપૂર્વક સાધુધર્મ લીધે નહિ હોય તે સાધુધર્મ પાળવા માટે શું પ્રયત્ન કરશે ? જેને સાધુધર્મ લેવાનો છે તેના પિતાના આગળ પાછળના નિકટના સબંધીજને સહેજે સહેજે એની સાથે બૂઝી જાય. ન બૂઝે તે ઉપાથી પ્રતિબોધે તેમેય ન બૂઝે તે યથાશક્તિ એમની આજીવિકાની ચિંતા કરે. રજા માગે. રજા ન મળે તે લાન–ઔષધ ન્યાયે ઘરને ત્યાગ કરે. આ વિધિ પછી પાલન માટે પ્રયાસ થ ઘટે. આત્મા અને પર્યાયની કેરી વાત કર્યું કાર્ય નહિ સરે, પણ તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈએ. સાધુપણાને સેલરાઈટ (એકાન્ત હક) ફક્ત
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy