________________
વિષયરસની ઓતપ્રેતતા થઈ ગઈ છે! આહાર રહેજે યાદ આવે છે, તપ નહિ! પરિગ્રહમાં સહેજે આબાદી ભાસે, નિષ્પરિગ્રહતામાં નહિ! ઈદ્રિના વિષયેને ભગવટે નિર્ભય લાગે, ત્યાગ નહિ ! જીવને અતૃષ્ણ સાથે નહિ પણ તૃષ્ણા અને તાલાવેલી સાથે એકરૂપતા જાણે સ્વભાવમાં કાં ન હોય ? સાધુધર્મમાં આવા ઉલટા ભાસ ન નભે. એવા ઉલટા ભાસ ટાળવા આત્મામાં કેઈિ પ્રકારની યોગ્ય તૈયારી કરવી જ પડે. તે કર્યા વિના સાધુધર્મની સ્પર્શ ન થાય. પ્રતિપક્ષી જે ચી આત્મામાં પેસી ગઈ છે તે કાયમ ન રહેવી જોઈએ. ચર્યા ફેરવવી જોઈએ -
આત્મસ્વભાવથી વિરુદ્ધ ચર્યા અનંતકાળ આદરી છે, એ સહજ જેવી બની આત્મામાં પેસી ગઈ છે, તેને ઓછી કરવી જોઈએ. ઓછી નહિ કરાય તે જીવના હાલબેહાલ થશે. તેને ઓછી કરી ઉચ્ચ સંયમ અને તપમય જીવન માટે ભૂમિકા તૈયાર કરવાની. એ કેમ બને ? તે જ, કે જે જડને ભૂલાય અને ચેતનને જ યાદ રખાય. અર્થ-કામ વિસરાય અને ધર્મ-મોક્ષજ સ્મરાય, વિષય-કષાયનું નામ મુકાય અને ત્યાગ-વૈરાગ્ય અને ક્ષમાદિમય જીવન બનાવાય. પણ અફસોસ ! કે જે ચીજો ભૂલવાની છે તેનું વારંવાર સ્મરણ સહેજે થઈ જાય છે, અને જે યાદ કરવાનું તે યાદ આવતું નથી ! અને કદાચિત આવ્યું હેય તે ભૂલતા વાર નથી લાગતી !
રત્નચિંતામણુ જેવા માનવભવમાં યાદ કરવા લાયક શું ? અહિંસા, સંયમ અને તપ, ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમઃ પરિણતિ, વિરતિ અને અપ્રમાદ, દર્શન જ્ઞાન અને