________________
४३६
[ પંચસૂત્ર-૪ અર્થ –તેવા પ્રકારના કરુણાદિ ભાવથી એ એમ પ્રધાન પરાર્થને સાધક અનેક ભએ પાપકર્મથી મુકાતે આવે છે, અને શુભ ભાવમાં વધતે એ અનેક ભ સંબંધી આરાધનાથી સર્વોત્તમ અંતિમ ભવને પ્રાપ્ત કરે છે, જે હવે છેલ્લા-પહેલા કેઈ ભવનું કારણ નથી, અને સંપૂર્ણ પ્રધાન પદાર્થનું કારણ છે. ત્યાં કાર્ય સંપૂર્ણ કરીને કર્મમળને નાશ કરી એ સિદ્ધ બુદ્ધ મુક્ત થાય છે, નિર્વાણ પામે છે, સમસ્ત દુખને અંત
વિવેચન – ચરમ ભવની સાધના -
પ્રત્રજિત ઉત્તમ પુરુષ પ્રધાન ગ્યતાવાળા હોઈ તેવા પ્રકારના કરુણાદિભાવને લીધે જુએ “અહો ! આ જગતમાં જ બિચારા મોહવશ પાપમાં ડૂખ્યાં રહે છે ! અને કર્મને પનારે પડી ભારે દુઃખી થાય છે! હું પ્રભુનું શાસન પામે છું, તે લાવ, એમને પાપ અને દુખમાંથી છૂટવા સહાયક થાઉં ! અનંત કરુણાસાગરનું શાસન એમને પમાડું! શાસનના આદેશ એ પાળે એવું કરું!” એવા ધર્મનું દાન કરીને ઉત્તરોત્તર વિશિષ્ટ પ્રધાન પરાર્થને પણ સાધક બને છે. એવી અનેક જાની સાધના કરીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોથી રહિત બનતું જાય છે અને સંવેગાદિ શુભભાવથી વધતું જાય છે. એમ અનેક ભવની પારમાર્થિક આરાધનાવડે સર્વશ્રેષ્ઠ એવા તીર્થકર ગણધર વગેરેના ભવને પામે છે.
પ્ર-વધતે સંવેગ એટલે શું?
ઉ૦-જેમ એના એજ સૂર્યને આપણે હજારેવાર જેવા છતાં, નવી સવારે સૂર્યમાં ચમકારે જુદે જ જોઈએ છીએ, એજ