________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૨૧ આમ ચારિત્રના ભાવ મલીન થાય છે. એ અટકાવવા વિશુદ્ધ વિશુદ્ધતર ચારિત્રભાવ બનાવ્યે જવાના, ભાવવિશુદ્ધિ વધાર્યો જવાની, એ દરેકે દરેક દોષ ટાળવા સતત જાગરૂક અને ઉદ્યમી રહેવાનું.
બીજું, ચિત્ત–વિશુદ્ધિ વિકસ્વર રાખવા ચિત્તમાં મલીનતા ન આવવા દેવી. ઈર્ષ્યા, અસહિષ્ણુતા, બેટી જિજ્ઞાસા, આતુરતા, ઊર્મિ, તરંગ, અહંકાર, ઇન્દ્રિયવશતા, સહેજ પણ ક્રોધાદિ કષાય, આર્ત રૌદ્રધ્યાન, ૩ ગારવ, ૩ શલ્ય, ૪ આહારાદિ સંજ્ઞા, ૪ રાજકથાદિ વિકથા, સ્વાર્થોધતા, કૃતજ્ઞતાવિસ્મરણ, અનૌચિત્ય, જડનું મૂલ્યાંકન, રાગદ્વેષાદિના સંકલેશ, લોકસંકલેશની બેપરવાઈ, અવિનય, પવિત્ર કિયાઓમાં બેદઉગ, ઉસૂત્ર, ઉમાગ વગેરે વગેરેને ભાવ એ ચિત્તના દેષ છે, મેલ છે, એને સર્વથા આઘા ને આઘા રાખી ચિત્તને અધિકાધિક વિશુદ્ધ કરતે ચાલે.
મહાસત્ત્વ–ભાવવિશુદ્ધિ અને ચિત્તવિશુદ્ધિ તે રાખી, તેથી સાધના માટે ઊંચી તમન્ના ઊભી છે, પરંતુ જે પ્રબળસત્વ, મહાસત્વ, નહિ હેય તે (૧) જ્યાં ક્યારેય તેવું કષ્ટ, ઉપદ્રવ કે પ્રતિકૂળતા આવશે ત્યાં એને વધાવી લેવાને બદલે ટાળવા માટે ચિત્ત મથશે! (૨) એમ વિશિષ્ટ ત્યાગ-તપ-સેવા વગેરેની સાધનામાં અહીં મળેલી અતિ દુર્લભ પુણ્યાઈ અને શક્તિને ખરચી એ સાધના કરવાનું નહિ બને. (૩) વળી સત્ત્વ નહિ હોય તે ઉપસ્થિત પ્રસંગોમાં લહેવાઈ જઈ ચિત્ત પાછું પડશે. (૪) ચિત્તમાં ઊઠતા અસત્ વિક૯૫ ટાળવાની હામ નહિ હોય.