SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ [પંચસૂત્ર-૩ લઈને નીચે મૂકવામાં સફળ થાય છે, તેમજ સૂઈને પાછા જાગી શકે છે, તે આશ્ચર્ય છે. માટે આયુ ધ્યને ભરોસે રાખ્યા વિના જલદી ચારિત્ર લઈ આત્મહિત સાધવું.” સૂત્રા–ત સંવિક સંવિધ સ્વ તા, તેહિં સમત્તાइओसहनिमित्तं, विसिद्गुरूमाइभावेण सवित्तिनिमित्तं च, किच्चकरणेण चयमाणे संजमपडिवत्तीए, साहू सिद्धीए । 'एस चाए अचाए' तत्तभावणाओ ' अचाए चेव चाए' मिच्छाभावणाओ। तत्तफलमित्थ पहाणं । परमत्थओ धीरा एअदंसिणो आसन्नभव्वा ।। અર્થ:–તથા (માબાપની) આ જીવનના નિર્વાહની ચિંતા વ્યવસ્થા કરવા દ્વારા એમને સ્વસ્થ કરીને, એમના સમ્યક્ત્વાદિ ઔષધ નિમિત્ત અને વિશિષ્ટ ગુરુ (શાસ્ત્ર) આદિ પામીને પિતાની ભાવ આજીવિકા નિમિત્તે, કર્તવ્ય બજાવવાપૂર્વક સંયમ સ્વીકારીને (માબાપને) છોડી જતે એ ઈષ્ટસિદ્ધિ થતી હોવાથી ઠીક છે. પરમાર્થને વિચાર કરતાં આ ત્યાગ એ અ-ત્યાગ છે. મિથ્યા કલ્પનામાં તણાતાં અત્યાગ એ ત્યાગ જ છે. તાત્વિક પરિણામ એજ પ્રધાન છે. નિકટભવી ધીર પુરુષ પરમાર્થથી આ જેનારા હોય છે. વિવેચન-ત્યાગ એ અત્યાગ કેમ? આ પ્રમાણે વિચાર કરીને મુમુક્ષુ જીવ માતાપિતાના આ લોકના નિર્વાહની યથાશક્તિ ચિંતા કરે, અર્થાત્ એમની અહીંની જરૂરિયાત માટેની ઠીકઠીક સગવડ પિતાની શક્યતા મુજબ કરે, અને એ રીતે એમને સ્વસ્થ કરે. પછી એમને સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરાવવા નિમિત્ત અને પિતાની ભાવઆજીવિકા (રત્નત્રયી)
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy