________________
૩૦૨
[ પંચસૂત્ર-૩ રહેતે હોય. એમને ત્યાં અવશ્ય વિનાશકારી કર્મવેગ હોય, (જે) ધર્મબીજ આદિ વિનાના પુરુષમાત્રથી મટે તે નહિ, (મટાડનાર) સમ્યકત્વાદિ ઔષધ મળવાને સંભવ છે, તેના માટે તે) મરણાદિ પરિણામ (નિશ્ચિત) છે. ત્યાં એ શુકલપાક્ષિક પુરુષ ધર્મના મમત્વથી આ પ્રમાણે વિચારે કે-“સમ્યક્ત્વાદિ ઔષધ વિના આ અવશ્ય નાશ પામશે. એ ઔષધને લાવી આપવામાં વિકલ્પ છે (કદાચ બચે) અને એ વ્યવહારથી હજી કાળ કાઢે એમ છે.
વિવેચન –હવે દૃષ્ટાંતને ઘટાડે છે,-એ પ્રમાણે જે શુક્લપાક્ષિક મહાપુરુષ છે, (શુકલપાક્ષિક એટલે મર્યાદિત સંસારવાળ ક્રિયારુચિ જીવ જેને હવે અર્ધપુદગલપરાવર્ત કાળથી પણ એ છે સંસાર બાકી છે તે; કૃણ પાક્ષિક તેથી અધિક સંસારી) તે શુલપાક્ષિક જો સંસારરૂપી અટવીમાં પડેલા અને માતાપિતા પત્ની વગેરેથી પરિવરેલા છતાં ધર્મ ઉપર રાગી ને ધર્મના મમત્વવાળા બની વિચરે. તેમની દષ્ટિ નિર્મળ હોય છે, એટલે સાચું જોઈ શકે છે, સાચું પારખી શકે છે, અને ઠેઠ પરિણામપર્વતને વિચાર કરી લે છે. હવે તે જુએ છે કે, “સંસારરૂપી મહાઅરણ્યમાં પડેલા મારા માતાપિતાને કર્મને રેગ (લિષ્ટ કર્મો) લાગે છે, જે રોગ અવશ્ય મારક છે. કમરગથી એકજ વાર મરણ નહિ, પરંતુ ભવોભવના અનેક મરણને ભય છે. તે કર્મગ, જે પુરુષે ધર્મ બીજ વગેરે ઔષધ પ્રાપ્ત નથી કર્યું, તેના એકલાથી યાને ઔષધ વિના ટળે તેમ નથી. જ્યારે, કમરેગને હટાવનારું સમ્યક્ત્વાદિ ઔષધ લાવી શકાવાનો સંભવ છે. અન્યથા ઔષધ વિના તે