________________
માટેજ મારે વ્યવહાર નીરસ જોઈ લોક મને વિદેહી કહે છે.”
ખરેખર! મૃત્યુની ભયંકરતા-સર્વનાશકતા-અજ્ઞાતાગમનઅનિવાર્યતા વગેરે નજર સામે હાઈ મહારાજા કુમારપાળ જેવા ય શ્રાવક ધર્મની કરણીમાં ભારે ઉદ્યમી રહેતા ! અને ઋષભદેવ ભગવાનની પાટ પરંપરામાં અસંખ્ય રાજાઓએ મૃત્યુને ઓળખી સંસાર ત્યજીને ચારિત્ર લઈ પંડિત-મરણ એવા સાધ્યા કે પછી કેટલાયને તે મૃત્યુની પરંપરા જે બંધ, મૃત્યુનું મૃત્યુ થયું ! અને બાકીનાને પછી બે જન્મમાં મૃત્યુને અંત થઈ મુક્તિ મળી.
શ્રાવક વિષયવિકારને અને મૃત્યુને આત્મા પર લાગેલે એક ઝેરી રોગ સમજે, અને તે નિવારવા ધર્મને જ એકમાત્ર ઔષધરૂપ સમજે. તેથી આ ધર્મજાગરિકા કરે
એ ધર્મજાગરિકામાં આ વિચારે કે,
સૂવ-ઘો કારણ શોધું, વિયુદ્ધો, મહાપુરિપવિત્રો, सव्वहिअकारी निरइआरो परमाणंदहेऊ ।
અથા-ધર્મ આનું ઔષધ છે. તે એકાંતે શુદ્ધ, મહાપુરુષોએ સેવેલો. સર્વ હિતકારી અને અતિચાર રહિત તથા પરમ આનંદને જનક જોઈએ.
વિવેચન-ધર્મ એ અનાદિકાળના લાગેલા વિષયવિકારના અને પુનઃ પુનઃ મૃત્યુના અસાધારણ રોગને કાઢનાર એકમાત્ર ઔષધ છે. એનું સેવન ખૂબજ કરું. આ જગતના લાલપીળામાં જીવને હિંસાદિના અવ્રત અને ઈન્દ્રિયોના વિષયેએ મુંઝવી નાખે છે. તેથી આત્માની શક્તિ તદ્દન ઓછી થઈ ગઈ છે. એ પટાવવા ધર્મ જ એક ઔષધ છે. તે ધર્મ કે જે એકાંતે