SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ માગે, અને છતી શક્તિએ તે ન આપે તે તે લોકવિરુદ્ધ કહેવાય. ધર્મકાર્યમાં આમ ઘણુ પૈસા ખરચવા છતાં પાંચ રુપિયા માટે આનાકાની કરે, ન આપે તે એ જાણવામાં આવતાં લોકે એની નિંદા કરે. જે ધર્મદંભી!” આગળ વધીને લોક ધર્મને વખોડે કે “આમને ધર્મ જ એવે છે, અને ધર્મ પ્રત્યે દ્વેષી પણ થાય. કેટલીક સામાન્ય પ્રવૃત્તિથી એકાદ માણસને તેની અણસમજ કે મૂર્ખતાને લીધે મનમાં લાગી જાય તે હજી ઉપેક્ષણય હોય, પરંતુ જનસમૂહને ન લાગે તે માટે સાવધાન રહે. ગુણુને ઉપાસક તો સામાન્ય પ્રવૃત્તિની પણ ઘણું જ કિમત આંકે, લોક બિચારા અધર્મ ન પામે, ધમની નિંદા કરનારા ન બને, ધર્મ પર તિરસ્કાર ન કરે, અવહેલના ન કરે-એ દયા ઘમીને નહિ આવે તે કેને આવશે? તેને આવવી જ જોઈએ. અને તેથી લોક અધર્મમાં પડી ન જાય તેવી તે સાવચેતી રાખે. પિતે બીજાને ધર્મ પમાડે તે દૂર રહ્યો, પણ બીજાએ પિતાના રહ્યા સહ્યા ધર્મને કે ધર્મ પ્રત્યેના આદર-સદ્ભાવને ગુમાવે, અને અનાદર-તિરસ્કારવાળા બને, એવું કેમજ આચરાય? એ અનાદાર વગેરે અશુભ ભાવ હેઈ સંક્લેશ રૂપ છે. બેધિ (ધર્મ પ્રત્યે અરુચિરૂપ હોવાથી, એનું પરિણામ ઉગ્ર અધિબીજનું આવે છે. જૈનધર્મની પ્રાપ્તિના વિરોધી ભાવને ઉત્પન્ન અને દઢ કરનારું બને છે કે જે ધર્મ પ્રાપ્તિના કારણભૂત ધર્મઆદર-આકર્ષણ–પ્રશંસાથી, અર્થાત્ બધિબીજથી એ લોકને અત્યંત દૂર રાખે છે, અને પિતાના માટે ય પરભવે અધિનું ફળ નીપજે છે.
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy