SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ પ્રવૃત્તિઓ તરફ કેળવતે જાય. હૃદયને સતત ઝેક જિનાજ્ઞા તરફ રહ્યા કરે. (૫) જિનાજ્ઞા એ મંત્ર, જળ, શાસ્ત્ર, કલ્પવૃક્ષ सूत्र-आणा हि मोहविसपरममंतो, जलं रोसाइजलणस्स, कम्मवाहितिगिच्छासत्थं, कप्पपायवो सिवफलस्स । અર્થ-એનું કારણ આજ્ઞા મેહવિષનાશક પરમ મંત્ર છે, દ્વિષાદિ-આગ બુઝવનાર પાણી છે, કર્મોગની ચિકિત્સા છે, મેક્ષફળ દેનાર કલ્પવૃક્ષ છે વિવેચન - પ્રવે-જિનની આજ્ઞાનું એટલું બધું માહાસ્ય શું કે એનાં આવાં શ્રવણ, અધ્યયન, ચિંતન અને પરાધીનતા વિના ન ચાલે ? ઉ – હદયે આ ખૂબ જ ઠસાવવા જેવું છે કે આજ્ઞા એ તે મહવિષને ઉતારનારે પરમમંત્ર છે. મેહમાં, રાગમાં, શ્રેષમાં અને હાસ્યાદિ તથા કાદવમાં (૧) વર્તમાન આત્માની વિકૃત અને જુગુપ્સનીય અવસ્થા છે, (૨) આગામી કટુ કર્મ વિપાક અને કુસંસ્કારની દઢતા છે, (૩) સ્વપરના આત્મહિતને સાધવાના મળેલા અમૂલ્ય અવસરની બરબ દી છે, ઉપરાંત (૪) સ્વપરના આત્મહિતને ઘાત અને અહિતનું ઉપાર્જન છે. મેહ-સેવામાં આવાં આવાં ભયંકર નુકશાન રહેલાં છે, તે બધું આજ્ઞા (સર્વજ્ઞના આગમ-વચન)થી જાણવા મળે છે. આજ્ઞામંત્ર મેહવિષને નાબૂદ કરે છે. સર્વજ્ઞ સિવાય બીજાનું શું ગજું કે એ જાણી શકે કે (૧) મેહની સૂક્ષ્મ અને વિવિધ લાગણીઓ અંતરાત્મામાં કેવી કેવી કામ કરી રહી હોય છે? (૨) કેવા કેવા કર્મ-વિસ્તારના
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy