SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ અને દુષ્કતગહ-આ બે, મને બહુ જ રુચે છે. એટલા માટે હું ત્રિલોકનાથ શ્રી અરિહંત ભગવંતનું અને કલ્યાણમિત્ર ગુરુ દેવોનું મારા પર નિયમન અને હિતશિક્ષાને ઈરછું છું. કેમકે એમની દોરવણી અને હિતશિક્ષા એ, ચાર શરણના સ્વીકારનો તથા દુષ્કૃત-ગહન ઉપર કહેલો જે વિસ્તાર, તે સાધનામાં બીજભૂત છે. અહીં ગુરુ સાક્ષાત્ ઉપકારી છતાં પહેલાં દેવની અને પછી ગુરુની હિતશિક્ષા ઈચ્છી; એનું કારણ એ કે તત્ત્વને અંગીકાર કરનાર આત્માઓએ મૂળ ઉપદેશક અને અધિક ગુણી તરફ પહેલાં પ્રવર્તવું એ ઊચિત છે. વળી દુષ્કૃત-ગહ ઉપરાંત અનુશાસ્તિ ઈચ્છી તે એટલા માટે કે તત્તાનુસારી માણસે અધિક ગુણે માટે અને અધિક ગુણ તરફ ઝુક્તા વલણ માટે પ્રયત્ન કરે જોઈએ. તે જ તત્ત્વ સ્વીકાર્યું એ સાચું ગણાય. આ એક પ્રણિધિ (ક્તવ્ય-નિશ્ચય) છે, કે “હું અરિહંત અને ગુરુની અનુશાસ્તિ ઈચ્છું છું.” વળી પ્રણિધાન એ છે કે – સૂત્રો એ બેગેહિં સંકો, ફોક કે ગેસ સુપસ્થળT I होउ मे ईत्थ बहुमाणो, होउ मे इओ मुकखबीअं ति । અર્થ-વિવેચન - એ ત્રિલેકનાથ શ્રી અરિહંત દેવો અને કલ્યાણમિત્ર અને સદ્ગુરુઓને મને ઉચિત (સમ્યગ-ભક્તિ બહુમાન સહિતન) નિશ્ચયવાળો સમાગમ હેક શાસક-શિષ્યભાવનો, સ્વામી સેવક ભાવ, કલ્યાણ દાતા- કલ્યાણ અસ્થિભાવનો યેગ , એમના પ્રત્યે સમર્પિત ભાવવાળ સમાગમ મને પ્રાપ્ત થાઓ. અહિં ધ્યાનમાં રાખવાનું એ છે કે એમની હિતશિક્ષા અને સમાગમનાં આ બે પ્રણિધાન કેવળ કોરી પ્રાર્થના નથી
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy