SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ મેહરૂપી અંધકારને હટાવવા માટે સૂર્ય સમાન છે. મેહ એટલે સત્-અસત્ના, સાચા-ખોટાના, તારક-મારકના, હિત-અહિતના, સ્વ-પરના, કાર્ય–અકાર્યના ઈત્યાદિના વિવેકનો અભાવ, અને એથી આત્માની થતી મૂઢ અવસ્થા. એ મોહ ખરેખર ! વસ્તુનું સાચું દર્શન યાને ઉદાસીન તટસ્થ નિષ્પક્ષપાત દર્શન નથી કરવા દેતું; એટલે કે વસ્તુની રાગદ્વેષથી અકલંક્તિ એવી સાચી પિછાનને આવરે છે. માટે મેહ એ અંધકારતુલ્ય છે. શ્રુત, સમ્યકત્વ અને ચારિત્રરૂપ ત્રિપુટીધર્મ આત્મામાં સૂર્યવત્ પ્રકાશી એ મેહને દૂર કરે છે. તેથી હવે જગતની વસ્તુઓનું સાચું સ્વરૂપ આત્મામાં ભાસે છે. આ પ્રતાપ ધર્મને છે. આવા ધર્મનું શરણું તે ઈચ્છાએ કરું છું કે અંશે પણ આ ધર્મ પ્રાપ્ત થતાં જરૂર અંશે પણ આત્માની મૂઢ દશા નબળી પડે. વળી આ ધર્મ “રાગદોસવિસપરમમંત રાગદ્વેષરૂપી વિષ(ઝેર)ને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન છે. જેમ ઝેરથી પ્રાણીનું મૃત્યુ થાય છે, તેમ રાગદ્વેષથી આત્માનું ભાવમૃત્યુ થાય છે, અર્થાત્ ભાવ પ્રાણ જે જ્ઞાનાદિ, તે બંધ પડે છે. સાથે જ એ રાગદ્વેષથી બંધાયેલા તીવ્ર કર્મોને લઈને જીવને ભાવી સંસારમાં ભવભવે મૃત્યુ પામવું પડે છે. માટે રાગદ્વેષ એ વિચિત્ર ભયંકર ઝેર છે. ધર્મ એનો ઘાત કરે છે, માટે ધર્મ એ ઝેરની સામે મંત્રતુલ્ય છે. આવા ધર્મનું શરણું તે શ્રદ્ધા માગે છે કે “જે આત્મામાં ધર્મની સાચી સ્પર્શ કરવી હશે, તે રાગદ્વેષને પૂર્વની જેમ પાળી પિષી શકાશે નહિ, પણ ઓછા કરવા પડશે. અહો ! કે સુંદર આ ધર્મ! કે એ પ્રાપ્ત થતાં રાગદ્વેષરૂપી ઝેર અને એથી ચડેલી મૂચ્છ ઉતરી જાય.” સાથે,
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy