SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ નહિ તેની યાદ નથી રહી. સાંજ સુધી ઘેર પાછા જવાય તેમ નથી, બસ આખા દિવસની આધિ. આખો દિવસ ભય, નજર સામે એક જ લક્ષ્ય, ક્યારે સાંજ પડે ને ઘેર જઉં ને તપાસું કે બધું બરાબર છે કે નહિ! વાત વાતે ભય. ભયનું કારણ ન હોય છતાં પણ ભય લાગે કે “હાય, હાય! બધું જતું રહેશે તે?” ભયને લીધે કેઈક અસત્યની, પ્રપંચની, હિંસાની, કષાયેની જનાઓ મનમાં ઘડે. જરૂર પડ્યે એ આચરવા ય ન પડે, છતાં ભય એ પાપને વિચારમાં લાવ્યા વિના ન રહે. એ વિચારમાં રૌદ્ર ધ્યાન પણ સંભવે. એમાં આયુષ્ય બંધાય તે મરીને જાય નરકે ! ત્યાંથી દુર્ગતિમાં ભટકે ! કેમકે પાપના અનુબંધ લઈને અહિંથી ગમે છે. ભયવાળાને અસમાધિને પાર નહિ. સાચવવાની તાલાવેલી ખૂબ “રાતના સૂતી વખતે દરવાજે તે બંધ કરે નથી રહ્યો ને ? બધું બરાબર પેક કર્યું છે ને?” રાતના જરાપણ અવાજ થતાં એમ થશે કે “ એ ચારને અવાજ તે નથી ? કેઈએ તિજોરી ખેલી ? ” જ્યાં આસક્તિ વધારે, ત્યાં ભયને પાર નહિ. ભયમાં ધર્મકિયા ચૂકાય તે પરવા નહિ. પરમાત્માની પૂજા ભક્તિ સેવા નથી થતી ત્યાં ભય દેખાતે નથી માટે તેને ભય નથી. “ સાધના અટકી તે કંઈ વાંધે નહિ; કાલે કરશું. શું ઉતાવળ છે? વખત ક્યાં વહી ગયે છે?” ધર્મ આખો ખવાય તે ભય નહિ ! “સંસારની સામગ્રીમાં ટાંચ ન પડવી જોઈએ.” આ લત ! ભવાભિનંદીને સમાધિને સ્વાદ નથી, સમાધિનું ભાન પણ નથી. સમાધિની કિંમત નથી, એટલે દુન્યવી ભમાં સમાધિ ગુમાવી રહ્યો છે! અસમાધિને એને ભય કે
SR No.022349
Book TitleUcch Prakashna Panthe
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay Gani
PublisherVardhaman Jain Tattvapracharak Vidyalay
Publication Year1966
Total Pages584
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy