SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ તે વારે એ ધણીને તને મારવાના પરિણામ થયા, તે એ બિચારે શું કરે? માટે કઈ રીતે ગ્રહની પૂજા કરી, ગ્રહની શાંતિ કરે. એટલે સુખ થાય. માટે જયોતિષ, વૈદ્યક જોઈને ચાલવું, કામ કરવું, એ પ્રમાણે વ્યવહારનયે લૌકિક વચન છે. હવે રજુ ત્રનયના મતવાળો ઉપયોગ દઈને બોલ્યાકે હે ભાઈ! ગ્રહને કાંઈ વાંક નથી, પ્રહતે સર્વે સમ્યગદ્રષ્ટિ છે, માટે તે તે કેઈને દુઃખ દેતા નથી, પણ તારા કર્મને વાંક છે, જેવા કમરુપ દળીયા તારી સત્તાએ હતા, તેવા ગ્રહ પણ આવ્યા, મારે શુભાશુભરુપ કર્મ સર્વને સુખદુખ દે છે. એ વિપાક સર્વે કર્મના કર્યા ઉદય આવે છે, એમાં ગ્રહને કાંઈ વાંક નથી. ગાથા:કર્મ કરે તે ન કરે કોય, કમેં કીડી કુંજર હયા કમે સુખ દુઃખ પામે સહુ, કમેં જીવ ભમે તે બહુ / ૧ / માટે સર્વ જીવ કર્મને વશ છે. એ ત્ર ત્રનું વચન છે. એ રીતે ચાર નયે જાણપણું કરી સંસારમાં જીવ પરિભ્રમણપણું કરે છે. હવે શબ્દનયના મતવાળે બેલ્ય-કે એ કર્મ બિચારા શું કરે ? એ તે જડ છે, કેઈને સુખ–દુઃખ દેતા નથી, પણ સુખ-દુઃખ પેદા કરવાવાળે તથા ભેગવવાવાળે આપણે જીવ છે, જેના પરિણામે કરીને જીવે કર્મ બાંધ્યા હોય, તેવા વિપાક ઉદય આવે, માટે એમાં કર્મને કાંઈ વાંક
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy