SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ તિહાં પ્રથમ જેની આદિ નથી અને અંત એટલે છેડે પણ નથી, તે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પ્રથમ ભાંગે જાણુ, તથા ત્રીજે જેની આદિ છે અને અંત પણ છે, તે વ્યવહારનયને મતે સાદિસાંત નામે બીજે ભાંગે જાણ. તથા ત્રીજે જેની આદિ નથી, પણ અંત છે, તે વ્યવહારનયને મતે અનાદિ સાંત નામે ત્રીજો ભાંગે જાણ. તથા ચોથે જેની આદિ છે. પણ અંત નથી, તે નિશ્ચયનયને મતે સાદિ અનંત નામે ચોથે ભાંગે જાણ. આ ચાર ભાગે કરી પ્રથમ દ્રવ્યનું સ્વરૂપ ઓળખાવે છે. ૩૫૧–તિહાં છવદ્રવ્યમાં ચાર ભાંગા બતાવે છે – તિહાં જીવમાં જે જ્ઞાનાદિક ગુણ છે, તેની આદિ નથી, અને અંત પણ નથી, માટે નિશ્ચયનયને મતે અનાદિ અનંત નામે પ્રથમ ભાગ જાણ. તથા ભવ્યજીવને કર્મ સાથે તથા શરીરની સાથે અનાદિને સંબંધ છે, તે સંબંધને જે વારે સિદ્ધિ વરશે તે વારે અંત આવશે માટે વ્યવહારનયને મને એ અનાદિસાંત નામે બીજે ભાગે જાણ. તથા જે જીવ દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય રૂપ નાના (ઘણા) ભવ કરી ચવવું–ઉપજવું કરે છે, એટલે તે તે ભવની આદિ પણ થાય છે, અને અંત પણ થાય છે, માટે વ્યવહાર નયને મતે એ સાદિ સાંત નામે ત્રીજો ભાંગે જાણ.
SR No.022333
Book TitleAdhyatmasar
Original Sutra AuthorN/A
AuthorKunvarvijay
PublisherJain Shree Sangh Paldi Ahmedabad
Publication Year1970
Total Pages610
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy