SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ અશરણ ભાવના મારાથી રહેવાયું નહીં એટલે એને બચાવવા હું ઊભો થયો. ભક્તોની ભીડ ભાંગવી એ ભગવાનની ફરજ છે. પણ,પ્રભુ, આપ તો દરવાજેથી જ કેમ પાછા વળ્યા? હા... હું દરવાજા સુધી ગયો પછી વળી નીચે મૃત્યુલોકમાં જોયું તો મારા ભક્ત હાથમાંથી એકતારો અને મુખમાંથી મારું નામ એક બાજુ મૂકી મોટો પથ્થર અને ગાળોનો વરસાદ છોકરાની સામે શરૂ કરી દીધો ત્યારે મને થયું કે હવે અહિ મારું કામ નથી કેમ જે ભક્ત ખુદ પોતાનો બચાવ કરી શકે છે તેનો બચાવ કરવા ભગવાને જવાની જરૂર નથી.” એમ વિચારી હું પાછો મારી જગ્યાએ આવી ગોઠવાઈ ગયો. આખું કથાનક ઘણું ઘણું સમજાવી દે છે. ભગવાનના શરણે જાઓ. તમારે કોઈ ચિંતા-ઉપાધિ રાખવાની જરૂર નથી. શિવસુખના નિધાન સ્વરૂપ પ્રશમપાન એનાથી જ મળશે. મોક્ષનું સુખતો દૂર-સુદૂર છે. પ્રશમનું સુખ તો આ સંસારમાં જ છે. માટે શાન્તસુધારસનું પાન કરતા રહો. અરિહંત-સિદ્ધ-સાધુ અને કેવલિ પ્રરૂપિત ધર્મ એ ચાર શરણને સતત ધ્યાવો. આ પ્રમાણે શાન્ત સુધારસ ગ્રન્થમાં અશરણભાવના વર્ણવેલી છે. રોજ આ ભાવનાને ભાવવાની છે. ધ્યાનમાં રાખો કે આપણે મનમાં ભાવનાઓ રોજ ચિતવવાની છે. રોજ ભાવના ગાવાની છે. આત્મામાં ઉતારવાની છે. અશરણ ભાવનાને કેવી રીતે ચિંતવશો... મૃત્યુ-રોગ-વૃદ્ધાવસ્થા-જીવન આદિની સામે જીવ અશરણ છે. અનાથ છે. એનું કશું જ ચાલશે નહિ. આ પ્રમાણેચિંતવન કરીને છેવટે એવું વિચારવાનું કે મારું કોઈ નથી. હું લાચાર છું એમ નહિ પણ જો જગતમાં શરણભૂત હોય તો ચાર શરણ છે. હું અશરણ છું એમ નહિ પણ સાચું શરણ આપનાર હોય તો અરિહંતાદિ ચાર પરમ તત્ત્વો છે. એના સિવાય કોઈ શરણ નથી એમ વિચારવાનું છે. વારંવાર ચાર શરણનું રટણ કરવાનું “હિતેશRUપવષ્ણ”નુંનિત ધ્યાન કરવાનું છે. પાંચ વિચારોથી મનને પવિત્ર કરવાનું છે. એક તો ઉમદા ધ્યેય હોય. બીજા નંબરે ધ્યેય સુધી પહોંચવાની શ્રદ્ધા, ત્રીજા નંબરમાં ધ્યેય સુધી જવાની ઝંખના, ચોથા નંબરે
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy