SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ૨૩ રાજર્ષિ મનના કારણે જ સાતમી નરકે યોગ્ય કર્મ બાંધે અને મનથી જ મોક્ષના દરવાજે પહોંચી ગયા. પેલો ચોખાના દાણા જેવડા શરીરવાળો તંદુલિયો મચ્છ મરીને સાતમી નરકે જાય છે. સ્વયંભૂરમણસમુદ્રમાં ૧ હજાર યોજનની અવગાહના વાળું એક કરોડ પૂર્વના આયુષ્ય ધરાવનાર માછલું એની આખી જીંદગીમાં અબજો માછલાનું ભક્ષણ કરે છે અને મરીને પહેલી નરકમાં જાય છે. એની જ આંખની પાંપણમાં ઉત્પન થનાર અન્તર્મુહુર્તના આયુષ્યવાળું અને એક પણ માછલાનું ભક્ષણ નહીં કરનાર તંદુલ મચ્છ મરીને સાતમી નરકે જાય છે એમાં મન જ કારણ ભૂત છે. મન માંકડા જેવું છે. કહ્યું છે આનંદધનજી મહારાજે પણ “મન સાધ્યું તેણે સપનું સાધ્યું,” આવા મનને શ્રુતજ્ઞાનવડે ભાવિત કરવાનું છે. નિરંતર ભાવના રૂપી ઔષધિનું પાન કરાવવાનું છે. અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રન્થમાં આચાર્ય ભગવંત મુનિસુંદરસૂરિ મહારાજાએ જણાવ્યું છે કે હે ચિત્તબાલક ભાવના રૂપી ઔષધિ છોડીશ નહિ જેથી દુન રૂપી ભુતડા તને છળી શકે નહિ ચિત્ત, બાળક જેવું છે. ના સમજ છે. માટે સતત ઔષધ આપવું.... “પગ ન બગડે માટે સંસારી બટ પહેરે છે. આંખ ન બગડે માટે સારી ગોગલ્સ પહેરે છે પેટ ન બગડે માટે સંસારી પણ શકે છે સવાસષ્ય ન બગડે માટે સંસારી દવા લે છે જીવન ન બગડે માટે સારી પેસા મેળવે છે | મન ન બગડે માટે પણ લો છો ? એના માટે લેવાનું છે ભાવના ઔષધ... સતત ભાવનાઓથી મન અને આત્માને ભાવિત કરવાનું. અંતઃકરણ મૃદુ - કોમળ બને તો એમાં પ્રથમ સુખ ને આપનાર આનંદ પેદા થાય છે. અને ભાવના પણ એવા અંતઃકરણ માં જ ટકે છે. માટે મનશુદ્ધિ બરાબર જાળવી રાખવી જોઈએ. યોગશાસ્ત્ર ગ્રન્થમાં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મ. એ લખ્યું છે... मन शुद्धि मबिभ्राणा ये तपस्यन्ति मुक्तये । त्यक्त्वा नावं भूजाभ्यां ते तितिर्षन्ति महार्णवम् ॥
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy