SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ ધન વધારવાની ઈચ્છા તે - તૃષ્ણા જરૂરી વસ્તુની ચાહના તે ઈચ્છા અતિ આવશ્યક વસ્તુની ઝંખના તે - સ્પૃહા મળેલ વસ્તુને સ્થિર કરવાની ભાવના તે - વાસના તૃષ્ણાદિનો ઘટાડો કરી જીવે સંતોષી બનવું જોઈયે. કમસેકમ ત્રણ વસ્તુમાં તો સંતોષ રાખવો જોઈએ. સવપત્નિ, ભોજન અને ધન !!! અજ્ઞાની જીવ સુખ પામવા માટે લોભનો સહારો લે છે જાણે કે જીવવા માટે ઝેરનો પ્યાલો પી રહ્યો હોય! શીતળતા મેળવવા જેમ અંગારા ઉપર પગ ન મુકાય તેમસુખ મેળવવા લોભ ન કરાય. લોભ સમસ્ત પાપોની જડ છે. લોભ પાપ નથી કરતો. પણ સર્વવિનાશ કરે છે. “સર્વ ગુણ વિનાશનમ્” લોભ છે. માટે લોભથી દૂર રહેવું. કષાયો ભઋણ કરાવે છે - ક્રોધાદિ ચારે કષાયો આત્માનું અહિત કરી સંસાર સાગરમાં ભમાવવાનું કામ કરે છે. માટે કષાયોનો ત્યાગ કરવો જોઈએ. કર્યું એટલે સંસાર, અને આય એટલે લાભ. જેનાથી સંસારની વૃદ્ધિ થયા કરે તે કષાયો છે. માટે કષાય આશ્રવ ત્યજી ને સમતાનો આશ્રય કરવો. ટણયોગ - મન-વચન અને કાયાના યોગ એ પણ કર્મબંધનું કારણ છે. શુભયોગો શુભ કર્મબંધ કરાવે અને અશુભયોગો અશુભ કર્મબંધ કરાવે. મનના વિચારો, વાણીના ઉચ્ચારો અને કાયાના આચારોને પવિત્ર રાખવા. હવે પ્રમાદના સ્થાનરૂપ ૨૫ અસથિા સમજાવીએ છીએ. વિશેષ બોધ માટે ક્રિયાઓને અલગ બતાવે છે. ૧. કાચિકી :- શરીરને પ્રમત્તભાવે પ્રવૃત્ત કરવું ૨. અધિકરણીકી - હિંસાકારી સાધનો ગ્રહણ કરવા. તલવાર કુહાડા, બંદૂક વિગેરે રાખવા - વેચવા બનાવવા. ૩. પ્રષિકી :- જીવ અજીવ પર દ્વેષ રાખવો. ૪. પારિતાપનિકીઃ- પોતાના માથા કુટવા, તેમજ બીજાને સતાવવા રૂપ જે ક્રિયા.
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy