SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ શાન્ત સુધારસ વિવેચન - ભાગ-૧ માટે જ.... સ્વયંના શરીર પ્રત્યે વિરક્ત બનો જેનાથી રાગની માત્રા ઘટશે. અન્યના શરીર પ્રત્યે વિરક્ત બનો જેથી કામની માત્રા ઘટશે. વિશુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન કરો. જેનાથી મોહ માંદો પડશે. જ્યારે જ્યારે કોઈના દેહને, રૂપને કે લાવણ્યને જુઓ ત્યારે ત્યારે આસક્તિ કરવાના બદલે અશુચિભાવનું ચિંતન કરો-મનન કરો, જેથી તરતજ આસક્તિ છુટી જશે, મોહ છુટી જશે, મન નિર્મળ બની જશે. પ્રતિદિન અશુચિભાવનું રટણકરવા દ્વારા નિર્વિકારમન, શાન્તિ સમતા નું પાન કર્યા કરે એજ અભ્યર્થના... द्वादश - नवरन्ध्राणि निकामं गलदशुचीनि न यान्ति विरामम्।। यत्र वपुषि तत्कलयसि पूतं मन्ये तव नूतन माकूतम् ॥५॥ अशित मुपस्कर संस्कृतमन्नं जगति जुगुप्सां जनयति हन्नम् पुंसवनं धैनवमपि लीढं भवति विगर्हितमति जनमीढम् ॥६॥ केवलमलमय पुद्गलनिचये अशुचीकृत शुचि भोजन सिचये। वपुषि विचिन्तय परमिहसारं शिवसाधन सामर्थ्य मुदारम् ॥७॥ येन विराजित मिद मति पुण्यं तच्चितय चेतन ! नैपुण्यम् । विशदागममधिगम्य निपानं विरचय शान्तसुधारस पानम् ॥८॥ શરીરના બાર અને નવ અશચિમાર્ગો દ્વારા સતત ગંદકી ઝરે છે તે શરીરને તું પવિત્ર માને છે તે તારો કોઈ નવો જ અભિપ્રાય લાગે છે. (૫) સારી રીતે તૈયાર કરેલ સ્વાદિષ્ટ ભોજન પણ શરીર દ્વારા જગતમાં જુગુપ્સા પેદા કરે છે. પવિત્ર મનાતું ગાયનું દૂધ પણ મૂત્ર સ્વરૂપે ગંદકી ફેલાવે છે. (૬). આ શરીર કેવળ મનથી વ્યાપ્ત યુગલનો ઢગલો જ છે. સુંદર સરસ ભોજનને પણ અશુચિ, અપવિત્ર કરનારું છે. આ શરીરમાં મોક્ષ
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy