SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ એકત્વ ભાવના પ્રવૃત્ત આત્માની સાથે યુદ્ધ કરવાનું છે. બહારના દુશ્મનોની સાથે લડવાથી શું લાભ? આત્માથી આત્મા ઉપર વિજય પામનારો મુનિ પરમ સુખ પામે છે. पंचिन्द्रियाणी कोहं माणं मायं तहेव लोभं च। दुज्जयं चे व अप्पाणं सव्वमप्पे जिए जिअं॥ હે બ્રાહ્મણ, પાંચ ઈન્દ્રિયો -ક્રોધ, માન, માયા, લોભ અને દુર્જય મન - આ બધાં આત્મવિજય પ્રાપ્ત થતાં સહજતાથી જીતી શકાય છે. એટલા માટે બહારના શત્રુઓની ઉપેક્ષા કરીને હું આત્મજય પામવામાં પ્રયત્નશીલ છું. આત્મજય પ્રાપ્ત થયા પછી બધું જ જીતી શકાય છે.' નમિરાજર્ષિ બ્રાહ્મણ વેશધારી ઈન્દ્રને જે ઉત્તરો આપી રહ્યા છે, એની એક એક વાત ઉપર એક એક પ્રવચન આપી શકાય તેમ છે. પરંતુ એટલું દીર્ઘ પ્રવચન આપવું નથી. સંક્ષેપમાં સમજી ગયા હશો. ખૂબ સરળ ભાષામાં બધી વાતો સમજાવી છે. મહત્વપૂર્ણ વાતોલે છે - સમત્વની અને એકત્વની. નમિરાજર્ષિ ઈન્દ્રને કેટલા સમભાવથી ઉત્તર આપે છે.? એમની અંદર આત્માનું વિશુદ્ધ સ્વરૂપ પ્રકટ કરવાની કેટલી ઉત્કટ ભાવના છે? તે અંદરથી કેટલા સંતુષ્ટ હશે? એટલા માટે તો તેમણે કહ્યું: સુહૃવસામો નીવાનો અમે સુખપૂર્વક રહીએ છીએ અને જીવીએ છીએ. ખૂબ મહત્ત્વ પૂર્ણ વાત છે. આત્માની મસ્તીમાં રહેવું અને જીવવું બીજું શું જોઈએ? ઈન્ટે કહ્યું: “રાજનું, મોટા મોટા યજ્ઞો કરાવીને શ્રમણ-બ્રાહ્મણ વગેરેને ભોજન કરાવીને; ગાયો વગેરેનું દાન આપીને; ઈષ્ટ, મિષ્ટ અને પ્રિય વિષયસુખો ભોગવીને સ્વયં યજ્ઞાદિ કર્યા પછી ત્યાગમાર્ગ ઉપર જ્જો.” નમિરાજર્ષિએ કહ્યું: जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए। तस्सावि संजमो सेओ अदितस्सावि किंचणं ॥ “હે બ્રાહ્મણ, કોઈ માણસ પ્રતિમાસ ૧૦-૧૦ લાખ ગાયોનું દાન આપતો હોય અને એક માણસ એક પણ ગાયનું દાન આપતો ન હોય, પણ હિંસા વગેરે પાપોના પરિહારરૂપ સંયમ પાળે તે શ્રેષ્ઠ છે' ઈન્ટે કહ્યું: “ઠીક છે આપની વાત, પરંતુ ગૃહસ્થાશ્રમ પણ અતિદુષ્કર
SR No.022308
Book TitleShant Sudharasam Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherPurushadaniya Parshwanath Jain Sangh
Publication Year2002
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy