SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ૮૦ પ્રશ્ન ૪૬૯. વિકલેન્દ્રિય જીવો મરીને પોતાની કાયામાં કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે? ઉત્તરઃ વિકસેન્દ્રિય જીવો મરીને પોતાની એટલે કે વિકસેન્દ્રિય રૂપે વધારેમાં વધારે સંખ્યાતા હજાર વર્ષો સુધી ઉત્પન્ન થયા કરે છે. વિગલાઈએ વાસ સહસ્સ સંખેજતિ” પંચ સંગ્રહ વચનાતુ વિકલા સ્વાયે ઉત્પધત્તે પ્રશ્ન ૪૭૦. પંચેન્દ્રિય તિર્યંચ મરીને તથા મનુષ્યો મરીને તિર્યંચ યા મનુષ્ય રૂપે કેટલા કાળ સુધી ઉત્પન્ન થયા કરે? ઉત્તર: પંચેન્દ્રિય તિર્યંચ મરીને પંચેન્દ્રિય તિર્યંચ રૂપે વધારેમાં વધારે આઠયા સાત ભવ સુધી ઉત્પન્ન થયા કરે એ જ રીતે મનુષ્ય રૂપે વધારેમાં વધારે સાત અથવા આઠ ભવ સુધી જ ઉત્પન્ન થયા કરે છે. પ્રશ્ન૪૭૧.દેવતાઓમરીને દેવરૂપે અને નારકી મરીને નારકી રૂપે કેટલાભવો કરે ? ઉત્તર:દેવતાઓમરીને દેવ રૂપે અને નારકીમરીને નારકી રૂપે કોઈ કાળે ઉત્પન્ન થતાં નથી તે જીવોની સ્વકાય સ્થિતિ નથી. પ્રશ્ન ૪૭૨. સઘળાં જીવોની જધન્ય કાયસ્થિતિ કેટલી હોય છે? ઉત્તરઃ સઘળાં જીવોની જધન્ય કાયસ્થિતિ એક અંતર્મુહૂર્તની હોય છે એટલે કે એક ભવ કરીને પછી બીજા ભવે ઉત્પન થવું હોય તો થઈ શકે છે. પ્રશ્ર૪૭૭.પ૬૩જીવ ભેદોમાંથી એક અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય તેવા જીવોના ભેદો કેટલા છે? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ જીવ ભેદોમાંથી ૩૩૮ જીવ ભેદોનું આયુષ્ય એક ' અંતર્મુહૂર્તનું હોય છે. તે આ પ્રમાણે. સૂક્ષ્મ પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વીકાય, અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય એમ ૩ ભેદ એ જ પ્રમાણે અપકાયનાં ૩ ભેદ, તેઉકાયના ૩ ભેદ, વાયુકાયનાં ૩ ભેદ, સાધારણ વનસ્પતિકાયના ૪, અપર્યાપ્તાબાદરપ્રત્યેક વનસ્પતિકાયના ૧ભેદ, કુલ ૧૭ભેદ સ્થાવર જીવોનાં અપર્યાપ્તાવિકસેન્દ્રિયના ૩ભેદ અપર્યાપ્તાતિર્યંચ પંચેન્દ્રિયના ૧૦જીવભેદો. અપર્યાપ્તા મનુષ્યોનાં ૨૦૦ ભેદો અપર્યાપ્તા દેવતાના ૯૯ અને અપર્યાપ્તા
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy