SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ૭૦ પ્રશ્નઃ ૪૦૯. પર્યાપ્તા સમૂર્છાિમ ભુજપરિસર્પ જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તાસમૂર્છાિમ ભુજપરિસર્પજીવોનું જધન્ય આયુષ્ય ૪૨૦૦૦વર્ષનું પ્રશ્નઃ૪૧૦.પર્યાપ્તાસમૂર્છાિમખેચર જીવોનું જધન્યતથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્છાિમ ખેચર જીવોનું જઘન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨૦૦૦ વર્ષનું છે. પ્રશ્ન: ૪૧૧. કેટલા વર્ષનું એક પૂર્વ થાય? ઉત્તર : ચોરાશી લાખને ચોરાશી લાખ વડે ગુણાકાર કરવાથી જે સંખ્યા થાય તે સંખ્યાને એક પૂર્વ કહેવાય છે. પ્રશ્નઃ ૪૧૨. પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર: પલ્ય-પાલો (પ્યાલો) તેની ઉપમાથી જે માપ કરાયતેપલ્યોપમ કહેવાય છે. પ્રશ્નઃ ૪૧૩. પલ્યોપમ કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર પલ્યોપમ ત્રણ પ્રકારના છે તે આ પ્રમાણેઃ (૧) ઉદ્ધાર પલ્યોપમ (૨) અદ્ધા પલ્યોપમ (૩) ક્ષેત્ર પલ્યોપમ. પ્રશ્નઃ ૪૧૪. ઉદ્ધાર પલ્યોપમના કેટલા ભેદો છે? ' ઉત્તરઃ ઉદ્ધાર પલ્યોપમના ૨ ભેદો છેઃ (૧) બાદર ઉદ્વાર પલ્યોપમ (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ. પ્રશ્નઃ ૪૧૫. બાદર ઉદ્ધાર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તરઃ ઉત્સધ અંગુલ પ્રમાણ એક યોજન લાંબો પહોળો અને ઉડો એવો પ્યાલો લેવો તેમાં સાત દિવસનાં જન્મેલાં-દેવકુફ ઉત્તરકુરૂનાં મનુષ્યના એક વાળનાં સાત વખત આઠ આઠ ટુકડા કરવા તે ટુકડા વીસ લાખ સત્તાણું હજારને એકસો બાવન (૨૦૦૭૧૫૨) થાય છે આવા એકટુકડાને વાલાગ્ર કહેવાય છે. દેવકુફ ઉત્તરકુરૂનાંતરતનાં જન્મેલાં મનુષ્યને માથું મુંડાયા પછી સાતદિવસે જેવાળ ઉગે. તે એક વાલાઝકહોવાય છે. તેવા વાલાગ્ર એક આંગળ લાંબા પહોળા ક્ષેત્રમાં
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy