SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ જીવવિચાર ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્તનું છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વરસનું છે. પ્રશ્નઃ ૪૦૩. પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ભુજપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક ક્રોડ પૂર્વે વરસનું છે. પ્રશ્નઃ ૪૦૪. પર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતા ભાગ જેટલા વરસોનું હોય છે એટલે કે અસંખ્યાતા વરસનું છે. પ્રશ્નઃ ૪૦૫. પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનુ જઘન્ય આયુષ્ય છે અને અંતર્મુહૂર્ત છે ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમનું છે. પ્રશ્ન:૪૦૬. પયૉપ્તા સમૂર્છાિમ જલચર જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્છાિમ જલચર જીવોનું જઘન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તે છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું છે. પ્રશ્ન: ૪૦૭.સમૂર્છાિમ ચતુષ્પદ જીવોનુજઘન્ય તથા ઉત્કૃષ્ટઆયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સમૂર્છાિમ ચતુષ્પદ જીવોનું જધન્ય આયુષ્ય એક (૧) અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૮૪૦૦૦ વર્ષનું છે. ' પ્રશ્નઃ ૪૦૮. સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૫૩૦૦૦ વર્ષનું છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy