SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ યુગલિકપણાના ભાવવાળું હોય છે. પ્રશ્ન ૧૮૪. ક્યા આરાના ભાવ વર્તે છે ? લઘુસંગ્રહણી ઉત્તર : સુષમા દુષમા આરાના ભાવ સદા માટે વર્તતા હોય છે. પ્રશ્ન ૧૮૫.આ ક્ષેત્રનાં મનુષ્યોનુંઆયુષ્ય, અવગાહના,આહા૨-અંતર,પાંસળી કેટલી હોય છે ? ઉત્તર ઃ આ ક્ષેત્રમાં મનુષ્યોનું આયુષ્ય ૧ પલ્યોપમ, શરીર અવગાહના ૧ ગાઉ, એક દિવસને આંતરે આમળાના પ્રમાણ જેટલો આહાર તથા ૬૪ પાંસળી હોય છે. પ્રશ્ન ૧૮૬.આ ક્ષેત્રનાં તિર્યંચોને અવગાહના તથા આહાર અંતર કેટલું હોય છે ? ઉત્તર ઃઆ ક્ષેત્રનાં ઉત્પન્ન થયેલા તિર્યંચોનું આયુષ્ય ૧ પલ્યોપમ,૨ ગાઉની શરીરની અવગાહના, દરાજ ચોવીશ કલાકે આમળાના પ્રમાણ જેટલો આહાર. પ્રશ્ન ૧૮૭. અપત્યપાલન કેટલા દિવસ હોય છે ? ઉત્તર ઃ અપત્યપાલન ૭૯ દિવસ હોય છે. પ્રશ્ન ૧૮૮. આ ક્ષેત્રનાં રસકસ વગેરે કેવા હોય છે ? ઉત્તર : આ ક્ષેત્રનાં રસકસ વગેરે ઉતરતાં હોય છે. એટલે હરિવર્ષ ક્ષેત્રમાં જે રસકસ હોય છે.તેનાં કરતાં ઘણા હીન હોય છે સુખ વગેરે ભાવો પણ ઉતરતાં હોય છે પ્રશ્ન ૧૮૯.આ ક્ષેત્રનું ઉત્તર-દક્ષિણ માપ કેટલુ હોય છે ? ઉત્તર ઃ હિમવંતક્ષેત્રનું ઉત્તર- દક્ષિણ માપ ૨૧૦૫ યોજન ૫ ક્લા (ારખંડ પ્રમાણ) છે. પ્રશ્ન ૧૯૦.પૂર્વ-પશ્ચિમ માપ કેટલું છે ? ઉત્તર ઃ આ ક્ષેત્રનું પૂર્વ તથા પશ્ચિમ માપ ૩૭૬૭૪ યોજન ૧૫ કલા છે. પ્રશ્ન ૧૯૧.વૃત વૈતાઢયનું નામ શું તથા તેનું માપ શું છે? ઉત્તર : વૃત વૈતાઢયનું નામ શબ્દાપાતી છે તે ૧૦૦૦ યોજન ઉંચો, મૂળમાં ૧૦૦૦ યોજન અને ઉપર ૫૦૦ યોજનના વિસ્તારવાળો હોય છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy