SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ લધુસંગ્રહણી દ્રહના કિનારે ૧૦, બંને કિનારે થઈ ૨૦અને પાંચે દ્રહોના થઈને ૨૦૪૫ = ૧૦૦ કંચનગીરી છે તે દેવકુરૂક્ષેત્રના કહેવાય છે. પ્રશ્ન ૯૮. દેવકુરૂક્ષેત્રમાં બીજું શું આવેલું છે? તે કેટલા યોજનનાં વિસ્તારવાળી વેદીકાથી યુક્ત હોય છે? ઉત્તર : આ દેવકુરૂક્ષેત્રમાં શાલ્મલી વૃક્ષ આવેલું છે. તે ૫૦૦ યોજનવૃત્ત વિસ્તારવાળી છેડે બે ગાઉજાડી અને મધ્યમાં ૧૨ યોજન જાડી વન અને વેદીકા સહીત આવેલું છે. પ્રશ્ર૯૯. શાલ્મલીવૃક્ષની પીઠશેની છે? તથાતેનીવેદીકા વગેરેની ઉંચાઈઆદી કેટલી કેટલી હોય છે? શાલ્મલી વૃક્ષ ક્યાં આવેલું છે? ઉત્તરઃ શાલ્મલી વૃક્ષની પીઠસુવર્ણની છે. તેનીવેદીકાને ચારે દિશામાં એક ગાઉ પહોળા ચાર દ્વાર છે. શાલ્મલી પીઠની મધ્યમાં ૮ યોજન વિસ્તારવાળી અને ૪ યોજન ઉચી મણીની પીઠીક છે. તે પીઠીકા ઉપર શાલ્મલી વૃક્ષ આવેલું છે. પ્રશ્ન ૧૦૦. તે વૃક્ષની જાડાઈ-ઉંચાઈ, શાખા વગેરે કેટલા કેટલા માપના હોય છે? ઉત્તર : આ વૃક્ષ ભૂમિમાં ૨ ગાઉ ઉડું, ર ગાઉનું જાડું થડ છે. ચાર દિશાની ચાર શાખા અને એક મધ્યશાખા મળી પાંચ શાખાઓ બબ્બે ગાઉની જાડી હોય છે. પ્રશ્ન ૧૧. આ વૃક્ષનું થડ, શાખા વગેરેની લંબાઈ તથા વિસ્તરાદી કેટેલો કેટલો હોય છે? ઉત્તરઃ આ વૃક્ષનું થડ ૮ ગાઉલાંબુ અને ચાર દિશાની ચાર શાખાઓ ૧૫ ગાઉ લાંબી હોય છે. મધ્યવીડીમાં શાખાથડ ઉપર ૨૪ગાઉલાંબી છે. વૃક્ષનો વિસ્તાર રોજન હોય છે અને ઉંચાઈ ને લંબાઈ ૮ યોજન હોય છે. પ્રશ્ન ૧૦૨. ચાર દિશાની ચાર શાખા ઉપર તથા વીડીની શાખા ઉપર શું રહેલું છે? ઉત્તરઃ ચાર દિશાની ચાર શાખા ઉપર શ્રીદેવીના ભવન જેવા ભવનો છે તથા મધ્ય વીડી શાખા ઉપર જૈનત્ય છે. પ્રશ્ર ૧૦૩. શાખા, પ્રશાખા અને પત્રો વગેરે શેના શેના હોય છે? ઉત્તરઃ આ વૃક્ષની ચાર શાખાઓ સુવર્ણની છે. મધ્યસખા તથા પ્રશાખાઓ
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy