________________
દંડક
ચાર કષાય હોય છે. પહેલી ત્રણ લેશ્યા હોય છે. સ્પર્શેન્દ્રિય હોય છે. વેદના, કષાય, મરણ ત્રણ સમુદ્ધાત હોય છે. એક મિથ્યા દ્રષ્ટિ હોય છે. અચક્ષુદર્શન હોય છે. એક પણ જ્ઞાન હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય છે. ઔદારિક દ્વિક અને કાર્મણ ત્રણ યોગ હોય છે. સાકાર અને નિરાકાર બે ઉપયોગ હોય છે. અસંખ્યાતા જીવો એક સમયમાં ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. ત્રણ અહોરાત્રિનું આયુષ્ય હોય છે. પહેલી ચાર પર્યાપ્તિઓ હોય છે. ત્રણ, ચાર, પાંચ અથવા છ દિશિનો આહાર હોય છે. ત્રણ સંજ્ઞામાંથી એક પણ સંજ્ઞા હોતી નથી. પૃથ્વી આદિ તિર્યંચના નવ દંડકમાં જાય છે. પૃથ્વી આદિ દશ દંડકવાળા ઉત્પન્ન થાય છે. નિયમા એક નપુંસક વેદ જ હોય છે. પ્રશ્ન ૪૭૨. વાયુકાય દંડકમાં ૨૪ દ્વારો સમજાવો.
ઉત્તર : ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ ચાર શરીર હોય છે. અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહના, સંઘયણ હોતું નથી. ચાર સંજ્ઞાઓ હોય, હુંડક સંસ્થાન ચાર કષાય, પહેલી ત્રણ લેશ્યા, સ્પર્શેન્દ્રિય હોય, વેદના, કષાય, મરણ અને વૈક્રિય સમુદ્ધાત-૪ સમુદ્ધાત, મિથ્યાદ્રષ્ટિ હોય અચક્ષુદર્શનહોય, કોઈપણ જ્ઞાન હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે અજ્ઞાન હોય. ઔદારિક દ્વિક, વૈક્રિય ક્રિક અને કાર્યણ એ પાંચ યોગ હોય. સાકાર અને નિરાકાર બે ઉપયોગ, અસંખ્યાતા જીવો ચ્યવે છે. અને ઉત્પન્ન થાય છે. ત્રણ હજાર વર્ષનું આયુષ્ય હોય. પહેલી ચાર પર્યાપ્તિઓ હોય, ત્રણ-ચાર-પાંચ અથવાછદિશિનો આહાર હોય, ત્રણ સંજ્ઞામાંથી કોઈ સંજ્ઞા હોતી નથી. પૃથ્વીકાયાદિ નવદંડકોમાં મરીને જાય છે. પૃથ્વી આદિદશ દંડકોમાંથી વાયુકાય રૂપે ઉત્પન્ન થાય છે. વાયુકાય જીવોને નિયમા નપુંસક વૈદ જ હોય છે. પ્રશ્ન ૪૭૩. વનસ્પતિકાય દંડકના ૨૪ દ્વારો સમજાવો.
૬૭
ઉત્તર : ઔદારિક, તૈજસ,કાર્મણ ત્રણ શરીર, એક હજાર યોજનથી અધિક અવગાહના, સંધયણ હોતું નથી.ચાર સંજ્ઞા હોય, કુંડક સંસ્થાન હોય છે. ચાર કષાય હોય, પહેલી ચાર લેશ્યા હોય, સ્પર્શેન્દ્રિય હોય, વેદના કષાય, મરણ ત્રણ સમુદ્ધાત, મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્ દ્રષ્ટિ હોય, અચક્ષુદર્શન હોય, જ્ઞાન એક પણ હોતું નથી. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન બે. ઔદારિક દ્વિક અને કાર્યણ ત્રણ