SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી જીવો ઔવે છે. પ્રશ્ન ૪૧૫. સમૂર્શિમ તિર્યંચોને ઉપપાત તથા અવનનો વિરહકાળ કેટલો? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોનો ઉપપાત તથા ચ્યવનનો વિરહાકાળ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત હોય છે. પ્રશ્ન ૪૧૬. સમૂર્શિમ તિર્યંચોનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર : સમૂર્શિમ તિર્યંચોનું જધન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે. જલચર જીવોનું આયુષ્ય ૧ પૂર્વ ફ્રોડ વરસનું હોય છે. ચતુષ્પદ જીવોનું આયુષ્ય ૮૪૦૦૦ હજાર વરસનું હોય છે. ઉરપરિસર્પ જીવોનું આયુષ્ય પ૩ હજાર વરસનું હોય છે. ભુજપરિસર્પ જીવોનું આયુષ્ય ૪૩ હજાર વરસનું હોય છે. ખેચર જીવોનું આયુષ્ય ૭૨ હજાર વરસનું હોય છે. - પ્રશ્ન ૪૧૭. સમૂર્છાિમ તિર્યંચોને કેટલી પર્યાપ્તિઓ છે? ઉત્તરઃ સમૂર્શિમ તિર્યંચોને પહેલી પાંચ પર્યાપ્તિઓ છે. છઠ્ઠી પર્યાપ્તિ પૂર્ણ કતા નથી. પ્રશ્ન ૪૧૮. સમૂર્ઝિમ તિર્યંચોને કેટલી દિશાનો આહાર હોય છે? ઉત્તરઃ સમૂર્છાિમ તિર્યંચોને છએ છ દિશાનો આહાર હોય છે. કારણ કે તેઓ ત્રસનાડીમાં રહેલા હોય છે. ' પ્રશ્ન ૪૧૯. સમૂર્શિમ તિર્યંચોને ત્રણ સંજ્ઞામાંથી કેટલી સંજ્ઞાઓ હોય છે? ઉત્તર: સમૃષ્ઠિમ તિર્યંચાને ત્રણ સંજ્ઞામાંથી એક હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. પ્રશ્ન ૪૨૦. સમૂર્છાિમ તિર્યંચો કરીને કઈ કઈગતિમાં જાય છે? અને ચોવીશ દંડકમાંથી કેટલા દંડકમાં જાય છે? ઉત્તર : સમૂર્શિમ તિર્યંચો મરીને ચાર ગતિમાં જાય છે. તથા ચોવીશ દંડકમાંથી જ્યોતિષી તથા વૈમાનિક એ બે દંડક સિવાય બાવીશ દંડકોમાં જાય છે. પ્રશ્ન ૪૨૧. સમૂર્શિમ તિર્યંચોમાં કેટલા દંડકવાળા જીવો મરીને આવે છે? ઉત્તર : સમૂર્છાિમ તિર્યંચોમાં દશ દંડકવાળા જીવો મરીને ઉત્પન્ન થાય છે - પૃથ્વીકાયાદિ ૫, વિકસેન્દ્રિય ૩, તિર્યંચ અને મનુષ્ય. પ્રશ્ન ૪૨૨. સમૂચ્છિમ તિર્યંચાને કેટલા વેદ હોય છે?
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy